ભારતમાં આ મહિનામાં કોરોના ઉથલો મારશે!..આગામી ૪૦ દિવસ મુશ્કેલ : એક્સપર્ટે આપી ચેતવણી

ભારત માટે આગામી ૪૦ દિવસ ખૂબ જ ગંભીર હોઈ શકે છે : એક્સપર્ટે આપી ચેતવણી

ચીનમાં કોરોના વાયરસના નવા મોજાના કારણે ફેલાયેલા હોબાળા વચ્ચે ભારત માટે પણ ચિંતાના સમાચાર સામે આવ્યા છે. જો સત્તાવાર સૂત્રોનું માનીએ તો ભારત માટે આગામી ૪૦ દિવસ ખૂબ જ ગંભીર હોઈ શકે છે, કારણ કે જાન્યુઆરીમાં કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. ભૂતકાળના વલણોને જોતા ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થવાનો દાવો કરવામાં આવી રહૃાો છે. હકીકતમાં, અગાઉ પણ એવું જોવા મળ્યું છે કે કોવિડ -૧૯ ની નવી લહેર પૂર્વ એશિયાને અસર કર્યાના ૩૦ થી ૩૫ દિવસ પછી જ ભારતમાં પહોંચી હતી. એટલા માટે તે એક ટ્રેન્ડ બની ગયો છે, જેના આધારે આ દાવો કરવામાં આવી રહૃાો છે. જો કે, સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે આ વખતે કોરોના સંક્રમણ લોકો માટે બહુ ગંભીર નથી. આવી સ્થિતિમાં જો લહેર આવે તો પણ દર્દૃીઓના મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા ઘણી ઓછી હશે. બીજી તરફ, આરોગ્ય મંત્રાલય કોરોનાના નવા પ્રકાર BF ૭ પર દવા અને રસી કેટલી અસરકારક છે તેનો અભ્યાસ કરી રહૃાું છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં ૬ હજાર આંતરરાષ્ટ્રીય મુસાફરોની તપાસ કરવામાં આવી છે, જેમાંથી ૩૯ આંતરરાષ્ટ્રીય મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તેને જોતા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ગુરુવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચીને માહિતી મેળવશે. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, બુધવારે ભારતમાં કોરોનાના ૧૮૮ નવા કેસ જોવા મળ્યા હતા, ત્યારબાદ કોરોનાના કુલ સક્રિય કેસની સંખ્યા વધીને ૩ હજાર ૪૬૮ થઈ ગઈ છે. હાલમાં ભારતમાં દૃૈનિક હકારાત્મકતા દર ૦.૧૪ ટકા છે જ્યારે સાપ્તાહિક ૦.૧૮ ટકા છે. કોરોના વાયરસના નવા પ્રકારે ચીનમાં ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. અહેવાલો અનુસાર, ચીનમાં મોટી સંખ્યામાં નવા કેસ સામે આવી રહૃાા છે. રોજનો આંકડો લાખોમાં જઈ રહૃાો છે. હોસ્પિટલો ભરાઈ ગઈ છે, દર્દૃીઓને જગ્યા પણ મળતી નથી. ચીનમાં દવાઓની પણ ભારે અછત છે.