ભારતમાં કોરોનાના નવા કેસ ગઈકાલની સરખામણીમાં આજે ઓછા નોંધાયા છે. ગઈકાલે દેશમાં કોરોનાના નવા ૪૨,૭૬૬ કેસ નોંધાયા હતા અને ૧,૨૦૬ દર્દીઓના મોત થઈ ગયા છે. ભારતમાં કોરોનાના નવા કેસ અને મૃત્યુઆંકમાં સતત ઉતાર-ચઢાવ નોંધાઈ રહૃાા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કોરોનાના નવા ૪૧,૫૦૬ નવા કેસ નોંધાયા છે જેની સામે સામાન્ય ફરક સાથે ૪૧,૫૨૬ દર્દીઓ સાજા થયા છે. જ્યારે વધુ ૮૯૫ દર્દીઓના કોરોનાના લીધે મોત થઈ ગયા છે.
ભારતમાં કોરોનાના વધુ સાડા ૪૧ હજાર દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૨,૯૯,૭૫,૦૬૪ થઈ ગઈ છે. જ્યારે કોરોનાના કુલ કેસની સંખ્યા ૩ કરોડને પાર થઈ ગઈ છે. દેશમાં કુલ કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો ૪,૦૮,૦૪૦ થઈ ગયો છે.
૧૬ જાન્યુઆરીએ ભારતમાં કોરોનાના રસી અભિયાનનો પ્રારંભ થયા બાદ કુલ ૩૭,૬૦,૩૨,૫૮૬ ડોઝ આપવામાં આવ્યા છે જેમાં પાછલા ૨૪ કલાકમાં ૩૭,૨૩,૩૬૭ ડોઝ આપવામાં આવ્યા છે.
આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ૧૧ જુલાઈ સુધીમાં કુલ ૪૩,૦૮,૮૫,૪૭૦ સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ગઈકાલે વધુ ૧૮,૪૩,૫૦૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
ભારતમાં કોરોના વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચી ગયા હતા. આ પછી ૬૦ લાખ પહોંચતા ૨૮ સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો. આ પછી ૧૯ એપ્રિલે ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો ૧.૫૦ કરોડને પાર થયો હતો. ૪ મેના કેસ સાથે આ આંકડો ૨ કરોડને પાર કરી ગયો છે. ૧૮મેના રોજ જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨.૫ કરોડને પાર થઈ ગઈ હતી. ૨૩ મેના નવા કેસ સાથે કુલ કેસ ૩ કરોડને પાર થઈ ગયા છે.