ભારતીય સેનાનું પરાક્રમ જોઇ પોતાના સૈનિકોથી નારાજ થયા ચીનના રાષ્ટ્રપતિ

ભારતીય સેનાનું પરાક્રમ જોયા બાદ ચીનના સૈનિકો હવે તેમની સરકારની ટીકા સહન કરી રહી છે. રાષ્ટ્રપતિ શી જિનિંપગ પીપલ્સ લિબરેશન આર્મી ના તે કમાન્ડરથી નારાજ છે, જેમણે પેંગોંગના દક્ષિણ વિસ્તારમાં સેનાના અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. સમાચાર મળી રહૃાાં છે કે, જિનપિંગ જલદી સેનામાં મોટા ફેરફાર કરી શકે છે. લદાખના પેંગોંગ વિસ્તારમાં ૨૯-૩૦ ઓગસ્ટની રાત્રે ભારતીય સેનાએ ઘુસણખોરી કરતા ચીનના સૈનિકોને ભગાડ્યા હતા. તેમના સૈનિકોના આ રીતે મેદાનમાંથી ભાગવાની વાત જ્યારે જિનિંપગ સુધી પહોંચી તો તે નારાજ થયા હતા.
ચીન કોમ્યુનિસ્ટ પાર્ટીએ પણ સેનાથી તેમની નારાજગી વ્યક્ત કરી હતી. સામાન્ય રીતે આ પ્રથમ વખત નથી જ્યારે ભારતીય સેનાએ ચીનને વળતો જવાબ આપ્યો છે. ૧૫ જૂનના ગલવાન ખીણ હિંસામાં પણ ચીનની સેનાએ મોટું નુકસાન ઉઠાવું પડ્યું હતું. ખાસ વાત એ છે કે, તે દિવસે રાષ્ટ્રપતિ શી જિનિંપગ તેમના ૬૭ના જન્મદિવસ ઉજવી રહૃાા હતા અને તેમને મોટી સંખ્યામાં તેમના સૈનિકોના મોતના સમાચાર મળ્યા હતા.
નિંપગ ગલવાન ઘટનાને લઇને સેનાનાથી નારાજ હતા અને જ્યારે ૨૯-૩૦ ઓગસ્ટના ભારતીય સેનાએ ફરી એકવાર તેમનું પરાક્રમ દૃેખાડ્યું તો તેમની નારાજગી વધી ગઇ છે. કેટલીક મીડિયા રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, કોમ્યુનિસ્ટ પાર્ટી કમાન્ડરથી આ વાતને લઇને પણ નારાજ છે કે, તેમણે સ્પંગગુર વિસ્તારમાં આમને સામને સંઘર્ષથી બચવા માટે સેના સાથે પીછેહટ કરી. જો કે, આ સંબંધમાં સત્તાવાર રીતે અત્યાર સુધીમાં કોઇ જાણખારી સામે આવી નથી.