રાજુલા, અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ વિસ્તાર માંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેની કામગીરી શરૂ કરાઇ છે ત્યારે હાઇવે ઉપર દબાણ ઉપર ડીમોલેશનની કામગીરી 5 દિવસથી ચાલી રહી છે મકાન દુકાનો હોટલ ધારકોને વળતર આપ્યા બાદ નોટિસો ફટકાર્યા પછી પણ દબાણ દૂર નહિ કરતા ડીમોલેશનની કામગીરી હાથ ધરાય છે બીજી તરફ આજે રાજુલાના હિંડોરણા ગામ નજીક આશરે 25 વર્ષ જૂનું મહાદેવ નું મંદિર કણેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે આ મંદિર રોડ ઉપર આવેલું છે અને અહીં ગ્રામજનોને કહેવા પ્રમાણે માત્ર 4 ફૂટની જગ્યા માટે મંદિર ઉપર બુલડોઝર ફેરવી દીધું છે અહીં જે તે સમયે સર્વે બાદ માત્ર 1 લાખ 90 હજાર રૂપિયા જેવી વળતર પેટે મંદિરને વળતર આપવામાં આવ્યું છે પરંતુ આ મંદિર સાથે ગ્રામજનોની આસ્થા જોડાયેલી હોવાને કારણે આજે શિવભક્તોની નારાજગી જોવા મળી રહી છે નેશલલ ઓથોરિટી દ્વારા આ મંદિર પર બુલડોઝર ફેરવી દેવાયું છે જોકે નેશનલ ઓથોરિટી નિયમ પ્રમાણે મંદિર રોડ ઉપર હોવાને કારણે તેમના દ્વારા કાર્યવાહી હાથ ધરી છે તેમ છતાં ગ્રામજનોમાં નારાજગી સાથે રોષ વ્યકત કરવામાં આવ્યો છે હિંડોરણા ગામના અગેવાન લખમણભાઈ વાવડીયાએ જણાવ્યું અહીં વર્ષોથી આ મહાદેવનું મંદિર અમારું આસ્થાનું પ્રતીક હતું નેશનલ ઓથીરીટી એ માત્ર 4 ફૂટની જગ્યા માટે બુલડોઝર ફેરવી દીધું છે અને સામેની સાઈડ ગૌચરણ સરકારી જમીન ખાલી જ હતી સામેની સાઈડ વધારી દીધી હોત તો આ મંદિર બચી ગયુ હોત આ સરકાર હિન્દૂ હિન્દૂ કરે છે પણ આ સરકારમાં હિન્દુના મંદિર ઉપર જ ડીલોલેશન કરી દીધું છે રાજસ્થાનમાં હોબાળો કર્યો હતો અહીં કેમ કાય નહિ?