ભોરીંગડા ચેકપોસ્ટ ખાતે ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા સેવાયજ્ઞ

અમરેલી, સતત સાતમાં દિવસે પણ સાવરકુંડલા -લીલીયા મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા કોરોના મહામારી ના કારણે માદરે વતન પરત ફરી રહેલ લોકો માટે લીલીયા તાલુકા ના ભોરિંગડા ગામે ચેકપોસ્ટ સતત 6 ઠ્ઠા દિવસે પણ બહાર થી આવતા લોકો ને જમવાનું, ઠંડાપાણી અને આરામ તેમજ નાના બાળકો માટે ઘોડિયાઘર માટે ની તમામ વ્યવસ્થા કરી પોતાની ફરજ અને પ્રતિનિધિત્વ નિભાવતા ધારાસભ્ય શ્રી ધ્વરા વહીવટી તંત્ર ની સાથે રહીને લીલીયા તાલુકાના ભોરિંગડા ચેકપોસ્ટ વ્યવસ્થા અવરિત પણે શરુ છે જેમાં રોજ રોજે ના 6000 થી વધુ લોકો ભોરિંગડા ચેકપોસ્ટ પર આવી રહ્યા છે તેઓને તમામ પ્રકાર ની સુવિધા ઠંડા પીણા, સરબત, જમણવાર, તેમજ નાસ્તા, અને છાંયડા ની વ્યવસ્થા ધારાસભ્ય શ્રી તરફથી સ્વંખર્ચે કરવામાં આવી છે,. તેમજ આ ચેક પોસ્ટ પર સતત ધારાસભ્ય શ્રીની નિગરાની હેઠળ તમામ સુવિધાઓ મળી રહે અને કોઈ મુસાફરો હેરાન નથાય તેમની તમામ દેખરેખ રાખીને પોતે ખડાપગે લોકોની સેવા અર્થે સવારના 7-00 થી સાંજ ના 7-00 સુધી ચેકપોસ્ટ પર હાજર રહીને વહીવટતંત્ર, આરોગ્યતંત્ર, સાથે સતત સંપર્ક માં રહીને લોકો ને પ્રત્યે ની વતનપ્રેમ હમદર્દી દાખવી ને સ્કેનિંગ તથા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે જેમાં તમામ સોશ્યલ ડિસ્ટન્નટ નું પાલન કરવામાં આવી રહ્યું છે અને લોકો ને તમામ પ્રકાર ની વ્યવસ્થા કરવામાં આવી રહેલ છે, અને લોકો સતત સાતમાં દિવસે પણ ભારે ઘસારો જોવા મળ્યો છે, અને ભોરિંગડા ચેક પર આવી રહ્યા છે, ત્યારે ધારાસભ્ય શ્રી દ્વારા વતન આવી રહેલ લોકોને અભિવાદન કરીને પોતાનો વતનપ્રેમ અને પોતાની કર્તવ્યનિષ્ઠા અને ફરજ સમજીને પ્રતિનિધિત્વ નિભાવી રહ્યા છે ત્યારે લોકો ના કપરા સમયે સાથ સહકાર આપીને લોકોની સતત નિસ્વાર્થભાવે સેવા ની કામગીરી કરતા માદરેવતન આવી રહેલ મહેમાનો લોકો આશ્રયચકિત થઈ ઉઠ્યા અને ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત ની માનવધર્મ અને સદાવ્રત સેવા ને બિરદાવાવમાં આવી રહ્યા છે, ત્યારે ધારાસભ્ય શ્રી દ્વારા પોતાની ફરજ અને પ્રતિનિધિત્વ કરીરહ્યાં છે.