સુશાંતસિંહ કેસને લઈને દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહૃાા છે. સુશાંતસિંહ સાથે જોડાયેલા લોકો વારંવાર એવો દાવો કરી રહૃાા છે કે સુશાંતસિંહની હત્યા કરવામાં આવી છે. સુશાંતસિંહ રાજપૂતના મિત્ર ગણેશ હીવરકરે જણાવ્યું હતું કે સુશાંતની હત્યા ૧૩ જૂને થઈ હતી. ગણેશ હીવરકરે કહૃાું કે સુશાંતસિંહ રાજપૂતના ઘરે ૧૩ જૂને રાત્રે કેટલાક લોકો આવ્યા હતા. જેના પગલે તેને એ શંકા છે કે સુશાંતની હત્યા ૧૩ જૂનની રાત્રે કરવામાં આવી. ગણેશ હીવરકરના જણાવ્યા અનુસાર ૧૩ જૂને થયેલી પાર્ટીમાં કોણ કોણ સામેલ હતું. સુશાંતની હત્યામાં કોનો કોનો હાથ છે જેને લઈને તે ખુલાસો કરવા માગે છે.
તમને જણાવી દઈએ કે સુશાંતસિંહ રાજપૂતનો જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુશાંતના પિતાના વકીલને સોંપવામાં આવ્યો છે. તેમાં અભિનેતાના મોતના સમયનો ઉલ્લેખ નથી. એટલા માટે સુશાંતનું મોત ક્યારે થયું એ પણ એક રહસ્ય છે. ગણેશ હીવરકરે કહૃાું કે તેમને ધમકી ભર્યા મેસેજ આવી રહૃાા છે અને તેને કંઈ ન બોલવા માટે કહેવામાં આવી રહૃાું છે. પરંતુ તે ચુપ નહીં રહે. ગણેશ હીવરકરે કહૃાું કે તેને પોલીસ સુરક્ષાની જરૂર છે.
ગણેશના જણાવ્યા અનુસાર સુશાંતના મિત્ર સંદીપસિંહને સુશાંતની હત્યા થવાની છે તેના વિશે તમામ માહિતી હતી. તેણે કહૃાું કે સંદીપસિંહ કહી રહૃાો છે કે તેને સુશાંતના મોતના સમાચાર ઘણા સમય પછી મળ્યા તે વાત તદ્દન ખોટી છે. તે જુઠુ બોલી રહૃાો છે. ગણેશે દાવો કર્યો છે કે સંદીપસિંહના કોઈ મિત્રએ તેને જણાવ્યું હતું કે સુશાંતે દિશાના મોતને લઈને સંદીપ સાથે વાત કરી હતી. જેના પછી સંદીપે દિશાના હત્યારાઓને જાણકારી આપી દીધી હતી. જેના પગલે દિશાના હત્યારાઓએ સુશાંતની પણ હત્યા કરી દીધી. ગણેશે દાવો કર્યો છે કે તેને એ તમામ લોકોના નામ ખબર છે જે સુશાંતની હત્યા પાછળ હોય શકે છે.