- એલએસી મુદ્દે મોદૃી દૃેશને ગુમરાહ કરી રહૃાા છે
- ગાલવાન ઘાટીમાં ચીની સેના સાથેની લોહીયાળ અથડામણ બાદ રાહુલ સતત કેન્દ્રની નીતિઓને લઈ સવાલ કરી રહૃાા છે
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ રવિવારે લદ્દાખ મુદ્દે ફરી એક વખત મોદૃી સરકારને ઘેરી હતી. રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે, ’એવું શું બન્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની ઉપસ્થિતિમાં ચીને ભારત માતાની પવિત્ર જમીન છીનવી લીધી?’ રાહુલ ગાંધીએ એક ન્યૂઝ રિપોર્ટને ટ્વિટ કર્યો હતો અને મોદૃી સરકાર સામે ફરી એક વખત સવાલો કર્યા હતા. ન્યૂઝ રિપોર્ટમાં એક સુરક્ષા નિષ્ણાંતે કરેલા દૃાવા પ્રમાણે કેન્દ્ર સરકાર LAC મુદ્દે ચીન સાથેના તણાવને લઈ મીડિયાને ગુમરાહ કરી રહી છે. ગાલવાન ઘાટીની આ સ્થિતિ ભારત માટે નુકસાનકારક બની શકે છે. આ રિપોર્ટને ટ્વિટ કરીને રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, ’એવું શું બન્યું કે મોદૃીજીની હાજરીમાં ચીને ભારત માતાની પવિત્ર જમીન છીનવી લીધી?’ લદ્દાખમાં LAC ખાતે ગાલવાન ઘાટી વિસ્તારમાં ચીની સેના સાથેની લોહીયાળ અથડામણ બાદૃ રાહુલ ગાંધી સતત મોદૃી સરકારની નીતિઓને લઈ સવાલો કરી રહૃાા છે. આ મામલે રાહુલ ગાંધી સતત એમ કહી રહૃાા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી ચીનના દૃાવાની સાથે ઉભા છે પરંતુ તેઓ આપણી સેના સાથે ઉભેલા નથી દૃેખાઈ રહૃાા. રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે ચીને આપણી જમીન લઈ લીધી છે. ભારત તેને પાછી મેળવવા ચર્ચાઓ કરી રહૃાું છે. ચીન આ જમીન ભારતની ન હોવાનું જણાવી રહૃાું છે. વડાપ્રધાને જાહેરમાં ચીનના દૃાવાને સમર્થન આપ્યું છે. વડાપ્રધાન ચીનનું સમર્થન શા માટે કરી રહૃાા છે અને ભારતીય સૈનિકોનું સમર્થન શા માટે નથી કરી રહ્યાં ? ગાલવાન મુદ્દે યોજાયેલી સર્વદળીય બેઠકમાં વડાપ્રધાને એમ કહૃાું હતું કે, કોઈ ભારતની સરહદૃમાં ઘૂસ્યું નથી અને કોઈએ ભારતની જમીન કબજે પણ નથી કરી. નોંધનીય છેકે ૧૫ જૂનની રાતે લદ્દાખમાં LAC ખાતે ગાલવાન ઘાટી વિસ્તારમાં ચીન સાથેની સિંહક અથડામણમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયા હતા. ત્યાર બાદૃ રાહુલ ગાંધી સતત મોદૃી સરકાર સામે સવાલો કરી રહૃાા છે.