રાજુલા-જાફરાબાદમાં અંડરગ્રાન્ડ વીજલાઇનો નાખવા માંગ

રાજુલા,
આજે ગાંધીનગરમાં શ્રી ગણપતભાઇ વસાવાના અધ્યક્ષપદે યોજાયેલી ગુજરાત સરકારની જાહેર સાહસો સમીતીની ઉર્જાને લગતી બેઠક વીજ કંપનીના અધિકાારીઓનીે ઉપસ્થિતિમાં યોજાઇ હતી જેમાં રાજુલાના ધારાસભ્ય શ્રી હિરાભાઇ સોલંકી દ્વારા રાજુલા-જાફરાબાદ શહેરમાં અંડરગ્રાન્ડ વીજલાઇનો નાખવા માંગ કરાઇ હતી અને સાથે સાથે જનાવરોની રંજાડ હોય તેવા રાજુલા-જાફરાબાદ-ખાંભાના ગામોમાં ખેડુતોને દિવસના સમયે કિસાન સુર્યોદય યોજનામાં વિજળી આપવામાં આવતી હતી તે તાઉતે વાવાઝોડા સમયથી 22 જેટલા ગામમાં ખોરવાઇ ગઇ હતી આ કિસાન સૂર્યોદય યોજનાને ખોરવાયેલા ગામોમાં ફરી કાર્યરત કરવા શ્રી હિરાભાઇ સોલંકી દ્વારા ધારદાર રજુઆત કરવામાં આવી .