રાજુલા જાફરાબાદ વિસ્તારના 10 હજારથી વધુ લોકો અન્યત્ર જિલ્લાઓમાં ફસાયા છે તેને વતનમાં પહોંચાડો

રાજુલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકાઓમાંથી હિરાના કારીગરો, ખેતમજુરો, શ્રમિકો, નાની-મોટી નોકરીઓ કરી ગુજરાત ભરનાં 32 જિલ્લાઓમાં રોજગારી રળવા પરિવાર સાથે ગયેલા. 10 હજારથી વધ્ાુ વિવિધ સમાજના લોકો લોકડાઉન પછી જયા છે ત્યાં ફસાયેલા છે. હાલમાં કોઈ કામકાજ નથી અને આવક બંધ છે. ખાવાના પણ સાંસા છે કોઈ ભાવ પુછવા વાળુ પણ નથી. ફસાયેલા આવા નિર્દોષ શ્રમિકો પોતાના બાળકો અને પરિવારની જડરાગ્ની પણ ઠારી શકતા નથી. આવા કપરા સંજોગોની વ્યથા આ વિસ્તારના ધારાસભ્ય અંબરીષભાઈ ડેરને મોબાઈલ દ્વારા સંર્પક કરેલ. આવા પરિવારોની અશ્રુભીની આંખે રજુઆતો કરતા જેના લોહીમાંજ સમાજ સેવાનો ગુણ સમાયેલો છે.તેવા ધારાસભ્ય શ્રી ડેરે વિલંબ કર્યા વિના રાજ્ય ના મુખ્યમંત્રી વિજયભાઈરૂપાણીનો ટેલીફોનીક સંર્પક સાધી પોતાના મત વિસ્તારના રાજ્યભરનાં 32જિલ્લાઓમાં કોરોના લોકડાઉનમાં ફસાયેલા છે.
તેમને પોતાના ગામો કે શહેરો સુધી જિલ્લા કક્ષાએથી જરૂરી તમામ આરોગ્ય લક્ષી તપાસ કરાવીનેે મોકવાની વ્યવસ્થા કરવા અથવા રાજુલામાં 10 હજારથી વધ્ાુ લોકોને રાજુલા સુધી પહોચતા કરાવો તો તેમના માટે સ્યેેશિયલ શેલ્ટર હોમ બનાવડાવી તેમને ત્યાં સ્વચ્છ અને સુંદર વ્યવસ્થા સાથે ચા-નાસ્તો અને ભોજનની પુરી વ્યવસ્થા સાથે સાચવાની જવાદારી મારી.
મુખ્યમંત્રી શ્રી ડેરની સંપુર્ણ વાત સાંભળી અને પ્રશ્ર્ન કર્યો કે અંબરીષભાઈ તમારા મતક્ષંત્રના આટલા બધા લોકો ખરેખર ફસાયા છે. અને ફસાયા છે અને જો ફસાયેલા જ છે તો તમે મારા સચિવ મનોજદાસને જ્યાં જ્યાં આવા લોકો ફસાયેલા છે તેની જાણ કરો એટલે આગળની કાર્યવાહી યુધ્ધના ધોરણે શરૂ કરી શકીએ મુખ્યમંત્રી તરફથી સાનુકુળ પ્રતિસાદ મળતાની સાથે જ અંબરીષભાઇ ડેરે રાજુલા ખાતેના પોતાના કાર્યાલયે કન્ટ્રોલરૂમ શરૂ કરીને પાંચ અલગ અલગ ટીમો બનાવી પોતાને જે કોઇ નંબર ઉપરથી મદદ માટે મોબાઇલ ફોન આવેલા તેવા લોકોના મોબાઇલ નંબર આપી તેઓને સંપર્ક કરી તમે કયા છો કેટલા લોકો છે તે અંગેની માહિતી લેવાની સુચનાઓ આપતા આ ટીમે તા.28 એપ્રિલ અને 29 બે હજારથી વધ્ાુ ફસાયેલા લોકોનો સંપર્ક કરી સંબધી માહિતી અકત્રીત કરી આજે બપોરના 12:30 કલાકે અંબરીષ ડેરને સુપ્રત કરતા અંબરીષભાઇએ મુખ્યમંત્રી અને તેમના અગ્ર સચિવ મનોજદાસને મેઇલ કરી સંબધીત માહિતી પુરી પાડી હતી.