- રેલ્વે ટ્રેનના ટાઇમ ટેબલને સંપૂર્ણ રીતે બદલશે
ભારતીય રેલ્વે હવે ટ્રેનના ટાઈમ ટેબલને સંપૂર્ણ રીતે બદલવાની તૈયારીમાં છે. નવા ટાઈમ ટેબલને માટે રેલ્વે લગભગ ૫૦૦ ટ્રેનને બંધ કરવાની અને ૧૦ હજાર સ્ટોપને બંધ કરવાની તૈયારી કરી રહૃાું છે. આ ટાઈમ ટેબલને કોરોના વાયરસ ખતમ થયા બાદ લાગૂ કરાશે.
કોરોનામાં પહેલાંની જેમ જ ટ્રેનો ચાલુ રાખવામાં આવશે. મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે, ટાઈમ ટેબલમાં આવેલા ફેરફાર બાદ રેલ્વેની કમાણીમાં વાર્ષિક ૧૫૦૦ કરોડ રૂપિયાનો વધારો થશે. રેલ મંત્રાલયના નિષ્કર્ષ અનુસાર ૧૫૦૦ કરોડની અનુમાનિત કમાણી વિના ભાડા અને અન્ય ચાર્જમાં વધારો કરાશે. આ ટાઈમ ટેબલ સહિત અન્ય ઓપરેશનલ પોલિસીમાં પણ ફેરફાર કરાશે.
વાર્ષિક લગભગ ૫૦ ટકાથી ઓછી ઓક્યુપેંસની ટ્રેનના નેટવર્કને સ્થાન મળશે નહીં. જરૂર પડશે તો આ ટ્રેનને અન્ય ટ્રેન સાથે મર્જ કરાશે. આ માટે જાણીતી ટ્રેનને પસંદ કરાશે.
લાંબા અંતરની ટ્રેનને ૨૦૦ કિલોમીટરથી પહેલાં કોઈ સ્ટોપ અપાશે નહીં. આ સમયે કોઈ મુખ્ય શહેર આવે છે તો ત્યાં સ્ટોપેજ હોઈ શકે છે. રેલ્વે કુલ ૧૦૦૦૦ સ્ટોપેજને બંધ કરવાની તૈયારી કરી રહી છે. દરેક પેસેન્જર ટ્રેન હબ એન્ડ સ્પોક મોડલ પર ચાલશે. ૧૦ લાખ કે તેનાથી વધુ આબાદૃી વાળા શહેરો હબ બનશે. આ શહેરોમાં લાંબા અંતરની ટ્રેનોનું સ્ટોપ હશે. નાના સ્ટેશનને હબથી અન્ય ટ્રેન સાથે કનેક્ટ કરાશે. આ ટાઈમટેબલ અનુસાર થશે. આ સિવાય પ્રમુખ ટૂરિસ્ટ સ્થાનોને તીર્થ સ્થળોને પણ હબનો દરજ્જો મળશે.
નવા ટાઈમ ટેબલથી મુંબઈ લોકલ જેવા સબ અર્બન નેટવર્ક્સ પ્રભાવિત નહીં થાય. નવા ટાઈમ ટેબલ રેલ્વેની પાસે મળતી રોિંલગ સ્ટોકના યુક્તિસંગત હશે. ટ્રેનમાં ૨૨ એલએચબી કોચ કે ૨૪ ઈન્ટીગ્રલ કોટ ફેક્ટ્રીના કોચ હશે.