લીલીયા લીલીયામાં રહેતા કસ્તુરબેન બચુભાઇ ભાલાળાનું નિધન થતા આજે સાંજના 6 વાગે સમશાન યાત્રા નિકળ હતી. સ્મશાને પહોંચ્યા બાદ એકાએક ઝેરી મધમાખીનું જુંડ ઉડતા સમશાન યાત્રામાં રહેલા ડાઘુઓ ઉપર મધમાખીઓ ટુટી પડી હોય તેમ અંદાજીત 40 જેટલા લોકોને દંશ દીધા હતા તેથી તત્તકાલ ઇમરજન્સી 108 મારફત ઘવાયેલાઓને સારવાર માટે ખસેડયા હતા.
જેમાં ત્રણને સરકારની દવાખાના બાદ શહેરની ખાનગી હોસ્પીટલમાં પણ સારવાર અપાઇ હતી. જયારે અમુક દર્દીઓને અમરેલી ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.અંતીમ યાત્રા વખ્તે આ ઝેરી મધમાાખીઓનાં એટેકથી લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.