લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટને રૂપાણી કેબિનેટની મંજૂરી

  • 6 મહિનામાં જ ફેંસલો,14 વર્ષની જેલ, જંત્રી જેટલો દંડ

ગાંધીનગર,
ગુજરાતમાં અનેક વાર ભૂમાફિયાઓનાં ત્રાસથી લોકો જમીન છોડી જવાના કિસ્સા સામે આવ્યા છે. તો થોડા સમય પહેલાં જ ભૂમાફિયાઓ દ્રારા ફાયિંરગની ઘટનાઓ પણ સામે આવી હતી. તેવામાં હવે ભૂમાફિયાઓ પર અંકુશ મેળવવા માટે રાજ્યની વિજય રૂપાણી સરકારે મોટો નિર્ણય કર્યો છે. ભૂમાફિયાઓ સામે કડક પગલાં લેવા માટે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટને કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દૃેવામાં આવી છે. મહેસૂલ મંત્રી કૌશિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપી હતી.
આજે રાજ્યની કેબિનેટ બેઠકમાં ભૂમાફિયાઓ પર અંકુશ મેળવવા માટે સરકારે નિર્ણય કર્યો હતો. અને આ માટે લાવવામાં આવેલાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટને કેબિનેટે મંજૂરી આપી દૃીધી હતી. આ મામલે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને જણાવ્યું હતું કે, જમીનની િંકમતો વધતાં ભૂમાફિયાઓનું જોર વધ્યું છે. અને તેમના પર અંકુશ મેળવવા માટે સરકાર આ કાયદૃો લઈને આવી છે. આ કાયદૃામાં જમીન હડપનારને ૧૦થી ૧૪ વર્ષની સજાની જોગવાઈ છે. અને કોર્ટમાં લેન્ડ ગ્રેબિંગ કેસનો ચુકાદૃો ૬ માસમાં આવશે. આ ઉપરાંત  પોર્ટલ પર મહેસૂલી સેવાઓની અરજી કરી શકાશે તેવું પણ મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું.ગરીબ, ઓછુ ભણેલા ખેડૂતો, મિલકત માલિકોને ડરાવી, ધમકાવી જમીનો પર કબ્જો કરતા વગદારો અને ભૂમાફિયાઓનું હવે આવી બનશે. ગેરકાયદૃે જમીનો પચાવી પાડનારા સામે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ લાવવાની જાહેરાત કરી છે. બુધવારે કેબિનેટની બેઠકમાં નવા કાયદૃાનો પ્રસ્તાવમાં જમીનો પચાવવાના કિસ્સામાં કેસ દૃાખલ થયાના છ જ મહિનામાં કોર્ટ દ્વારા ફેંસલો અને ગુનેગારને ૧૪ વર્ષ સુધીની જેલ તેમજ જમીનની જંત્રી જેટલો દંડ વસૂલવા જેવા આકરી સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. લોકોમાં જાગૃતિને અભાવે અનેક જિલ્લાઓમાં મિલકત માલિકોની જમીનો લૂંટાયા બાદ હવે સરકારે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ- ૨૦૨૦ લાવવાની જાહેરાત કરી છે. જેમાં ગેરકાયદૃેસર કબ્જો લેનાર, આવી જમીન ઉપર બાંધકામ માટે નાણાકિય સહાય કરનાર, તેમજ ભોગવટેદૃારો પાસેથી ધાક-ધમકીથી ભાડુ, વળતર કે અન્ય વસૂલાત કરનાર અને તેમાં મદદગારી કરનાર એવા તમામને જમીન પચાવી પાડનારની વ્યખ્યામાં સમાવેશ કરવામાં આવ્યો છે.કેસોની ઝડપી સૂનાવણી થાય તેના માટે સરકાર સ્પેશિયલ કોર્ટની સ્થાપના કરશે. કેસ દૃાખલ થયાના છ જ મહિનામા કેસનો નિકાલ આવે તેવી વ્યવસ્થા પણ થશે. કસૂરવારને ૧૦ થી ૧૪ વર્ષની જેલની સજા તેમજ જમીનની જંત્રી જેટલો દંડ થઈ શકે.