વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીનો પ્રવાસ કર્યો હતો. જ્યાં વડાપ્રધાને ૧૫૦૦ કરોડની યોજનાઓ લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા હતા. તે બાદ વડાપ્રધાને સ્થાનિક લોકોને સંબોધિત કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ રુદ્રાક્ષ કન્વેશન સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહૃાું કે કાશી તો સાક્ષાત શિવ છે. હવે છેલ્લા ૭ વર્ષમાં ઘણા વિકાસના પ્રોજેક્ટ્સ દ્વારા કાશીનો શ્રુંગાર થઈ રહૃાો છે, તો રુદ્રાક્ષ વિના આ શ્રુંગાર કેવી રીતે પૂર્ણ થઈ શકે?
હવે કાશીએ આ રુદ્રાક્ષ ધારણ કરી લીધો છે, તો કાશીનો વિકાસ વધુ ચમકશે અને કાશીની સુંદરતામાં વધુ વધારો થશે. મને પૂરો વિશ્ર્વાસ છે કે મહાદેવના આશીર્વાદથી આવતા દિવસોમાં આ સેન્ટર કાશીને નવી ઓળખ આપશે અને કાશીના વિકાસને નવી ગતિ આપશે.
રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરના નિર્માણમાં મદદ કરનાર જાપાનના વખાણ કરતાં મોદીએ કહૃાું કે આજના કાર્યક્ર્મમાં વધુ એક નામ લેવાનું હું નહીં ભૂલી શકું. જાપાનથી જ મારા મિત્ર િંશઝો આબે જી. રુદ્રાક્ષના વિચાર ઉપર મેં તેની સાથે લાંબી ચર્ચા કરી. તેમણે તરત જ તેના અધિકારીઓને આ વિચાર પર કામ કરવા જણાવ્યું. તેમની સંસ્કૃતિ છે પરફેકશન અને આયોજન. આની સાથે જ તેના પર કામ શરૂ થયું અને આજે આ ભવ્ય ઇમારત કાશીની સુંદરતા વધારી રહી છે.
આ પહેલા કાશીના મ્ૐેંમાં વડાપ્રધાને ૧૫૦૦ કરોડની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. તેમણે પોતાના ભાષણમાં ઉત્તર પ્રદેશ સરકારની ખૂબ જ પ્રશંસા કરી હતી. તેમણે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું હતું.
મોદીએ ભારત માતની જય અને હરહર મહાદેવ બોલ્યા પછી પોતાની વાત શરૂ કરી. તેમણે કાશીના લોકો સાથે મૈથિલીમાં વાત કરતા કહૃાું કે લાંબા સમય પછી આપ બધાની સાથે સીધી મુલાકાતની તક મળી. કાશના તમામ લોકોને પ્રણામ. સમસ્ત લોકોના દુ:ખ હરનાર ભોલેનાથ, માતા અન્નપૂર્ણાને પ્રણામ. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમા ૬ વખત સીએમ યોગી આદિત્યનાથના કામકાજના વખાણ કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહૃાુ કે ૨૦૧૭ પહેલા પણ દિલ્હીથી યુપી માટે પૈસા મોકલવામાં આવતા હતા પરંતુ ત્યારે લખનઉંમાં અટકી જતા હતા. આજે યોગી મહેનત કરી રહૃાા છે, ખુદ સીએમ યોગી અહી પર આવીને વિકાસ કામોને જુવે છે. સીએમ યોગી દરેક જિલ્લામાં જાય છે અને અલગ અલગ કામ પર નજર રાખે છે, આ કારણે યુપીમાં બદલાવ થઇ રહૃાો છે.
વડાપ્રધાન મોદીએ કહૃાુ કે માફિયા રાજ અને આતંકવાદ જે બેકાબુ થઇ રહૃાા હતા, હવે તેમની પર કાયદૃાનો શકંજો છે. યુપીમાં હવે કાયદૃાનું રાજ છે. આજે ગુનેગારોને ખબર છે કે તે કાયદૃાથી બચી નહી શકે. યુપીની સરકાર આજે ભ્રષ્ટાચાર અને ભાઇ-ભતીજાવાદથી મુક્ત છે, યુપીની સરકાર વિકાસવાદથી ચાલી રહી છે. યુપીમાં જનતાની યોજનાઓનો લાભ સીધો જનતાને મળી રહૃાો છે.
પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની બીજી લહેર દરમિયાન ઉત્તર પ્રદેશના મેનેજમેન્ટની પ્રશંસા કરી છે. પીએમ મોદીએ કહૃાુ કે યુપીની જનસંખ્યા કેટલાક દેશથી પણ વધુ છે, છતા પણ અહીની સરકાર, લોકોએ કોરોનાની બીજી લહેરને સંભાળી લીધી છે.
મોદીએ તેમના ભાષણમાં ખેડૂતોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહૃાું અમારી ખેતી સાથે જોડાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કૃષિ આધારિત કારોબારથી જ ભારત આત્મનિર્ભર બનશે. તાજેતરમાં જ સરકારે તેના માટે મોટો નિર્ણય લીધો છે. દેશમાં આધુનિક કૃષિ માટે એક લાખ કરોડના વિશેષ ફન્ડનો લાભ મંડિયોને પણ મળશે. તેનાથી મંડી આધુનિક બનશે.
સરકારી ખરીદી સાથે જોડાયેલી સિસ્ટમને સરળ બનાવી તે અમારી પ્રાથમિકતા છે. ઘઉંની રેકોર્ડ સરકારી ખરીદી તેનો પુરાવો છે. આપણા લંગડા અને દશહરીએ આપણી ઓળખ બનાવી છે. તેનાથી નાના ખેડૂતોને સૌથી વધુ લાભ થશે.