નવીદિૃલ્હી,તા.૦૩
વિદૃેશ મંત્રી એસ જયશંકરએ ત્રિરંગા સાથે તોડફોડની અનેક ઘટનાઓ બાદૃ અલગતાવાદૃી ખાલિસ્તાનીઓને કડક સંદૃેશ આપ્યો છે. તેમણે કહૃાું છે કે ભારત તેના રાષ્ટ્રધ્વજને નીચે ઉતારવાને લઇ સ્વીકારશે નહીં. જયશંકરે રવિવારે ધારવાડમાં બુદ્ધિજીવીયો સાથેની વાતચીતમાં આ ટિપ્પણી કરી હતી. ભાજપ મહાનગર એકમ દ્વારા ધારવાડમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એસ જયશંકરે કહૃાું, “તે દિૃવસો ગયા જ્યારે ભારત તેને હળવાશથી લેતું હતું અને આ ભારત એવું નથી કે જે કોઈને રાષ્ટ્રધ્વજને નીચા પાડવા માટે સ્વીકારે.” વિદૃેશ મંત્રીએ વાતચીત દૃરમિયાન કહૃાું, “આ માત્ર તે કહેવાતા ખાલિસ્તાનીઓ માટે જ નહીં પરંતુ બ્રિટિશરો માટે પણ એક સંદૃેશ છે કે આ અમારો ધ્વજ છે અને જો કોઈ તેનો અનાદૃર કરવાનો પ્રયાસ કરશે તો હું તેને વધુ મોટો કરી દૃઇશ.” વિશ્ર્વના વિભિન્ન ભાગોમાં અલગતાવાદૃી ખાલિસ્તાની હિલચાલ અને ભારત દ્વારા ઉઠાવવામાં આવનાર પગલા અંગેના એક પ્રશ્ર્નના જવાબમાં જયશંકરે કહૃાું, ’અમે છેલ્લા કેટલાક દિૃવસોમાં લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સેન ફ્રાન્સિસ્કોમાં આવી કેટલીક ઘટનાઓ જોઈ છે. મુઠ્ઠીભર લઘુમતીઓ વિવિધ હિતો સાથે કેટલાક પડોશીઓના હિતો, કેટલાક લોકોના હિતો કે જેઓ વિઝા માટે અને વ્યક્તિગત હિત માટે તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. તેમણે કહૃાું, “તેઓ તેમને પોતાના ફાયદૃા માટે રજૂ કરવાનો પ્રયાસ કરે છે અને કેટલાક એવા છે જે સ્પષ્ટપણે ભારતનું ભલું નથી ઈચ્છતા.” જયશંકરે એમ પણ કહૃાું, મુદ્દો એ છે કે જ્યારે અમે વિદૃેશમાં દૃૂતાવાસો સ્થાપ્યા. જ્યારે અમારા રાજદ્વારીઓ તેમનું કામ કરી રહૃાા હતા ત્યારે અમે ખૂબ જ સ્પષ્ટ છીએ કે તે દૃેશની જવાબદૃારી છે જ્યાં આ દૃૂતાવાસો છે, જ્યાં આ રાજદ્વારીઓ છે તેમની સુરક્ષા પુરી પાડવી. છેવટે તે દૃેશની જવાબદૃારી છે અમે ઘણા વિદૃેશી દૃૂતાવાસોને સુરક્ષા આપીએ છીએ.” તેમણે ખાલિસ્તાનીઓને ચેતવણી આપી હતી કે, “જો તેઓ સુરક્ષા નહીં આપે, જો તેઓ તેને ગંભીરતાથી નહીં લે, જો આવી ઘટનાઓ થશે તો અમે ભારત તરફથી પ્રતિક્રિયા આપીશું.” તમને જણાવી ધઇએ કે, ખાલિસ્તાન સમર્થકોના એક જૂથ દ્વારા યુનાઇટેડ િંકગડમના લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ભારતીય ધ્વજ તોડી પાડવામાં આવ્યો હતો અને દૃૂતાવાસમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ઘટના પછીના પરિણામોનું વર્ણન કરતાં જયશંકરે કહૃાું, હાઈ કમિશનરે સૌથી પહેલું કામ કર્યું કે તેઓ તેનાથી પણ એક મોટો ધ્વજ લઈને આવ્યા અને તેમણે તેને ત્યાં જ લગાવી દૃીધો. કાર્યવાહી બાદૃ દૃૂતાવાસની બહાર એક મોટો ધ્વજ લગાવવામાં આવ્યો હતો. જયશંકરે એમ પણ કહૃાું, “તે અર્થમાં વિચાર કે આજે એક અલગ ભારત છે, એક ભારત જે ખૂબ જ જવાબદૃાર અને ખૂબ જ નિર્ધારિત છે.”