દૃુનિયામાં ગમે તે વ્યક્તિએ જો બીજા કોઈ દૃેશમાં જવું હોય તો પાસપોર્ટની જરૂર પડે છે. પાસપોર્ટ વગર કોઈ વ્યક્તિ બીજા દૃેશની યાત્રા કરી શકતો નથી. રાષ્ટ્રપતિથી લઈને પ્રધાનમંત્રી પણ જ્યારે એક દૃેશથી બીજા દૃેશમાં જાય છે તો તેમણે ડિપ્લોમેટિક પાસપોર્ટ રાખવાનો હોય છે. એક પાસપોર્ટ પોતાના ધારકની વ્યક્તિગત ઓળખ અને રાષ્ટ્રીયતાને નક્કી કરે છે. પાસપોર્ટમાં ધારકનું નામ, ફોટોગ્રાફ, જન્મસ્થળ અને જન્મ તારીખ, સહી અને પાસપોર્ટની વેલિડિટી લખેલી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દૃુનિયામાં ત્રણ ખાસ એવા લોકો છે જેને કોઈ બીજા દૃેશમાં જવા માટે પાસપોર્ટની જરૂર પડતી નથી. પણ ત્રણ વ્યક્તિઓ માંથી પ્રથમ વ્યક્તિની જો વાત કરીએ તો બ્રિટનના કિંગ એટલે કે રાજાની છે જે કિંગ ચાર્લ્સ તૃતીય આ મહિને બ્રિટનના મહારાજ બન્યા છે. તેમના માતા તથા મહારાણી એલિઝાબેથ દ્વિતીયના મૃત્યુ બાદ તેઓ આ પદ પર બેઠા છે. તેમના મહારાજ બનતા યુકેના વિદૃેશ મંત્રાલયે બધા દૃેશોને સૂચના આપી દીધી કે બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીયને સંપૂર્ણ સન્માન સાથે ગમે ત્યાં આવવા-જવાની મંજૂરી આપવામાં આવે અને તેમના પ્રોટોકોલનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે. કિંગ ચાર્લ્સ પહેલા તેમના માતા મહારાણી એલિઝાબેથ દ્વિતીયને પાસપોર્ટ વગર ગમે ત્યાં જવાનો અધિકાર હાસિલ હતો. નોંધનીય છે કે પાસપોર્ટ વગર ગમે ત્યાં જવાનો અધિકાર માત્ર ગાદી પર બેઠેલા રાજા કે મહારાણીને હોય છે. કિંગ ચાર્લ્સ તૃતીયના પત્નીને જો વિદૃેશ જવું હશે તો તેમણે ડિપ્લોમેટિક પાસપોર્ટની જરૂર પડશે. આ રીતે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના સમયમાં તેમના પતિ પ્રિન્સ ફિલિપને પણ વિદૃેશ જવા માટે ડિપ્લોમેટિક પાસપોર્ટની જરૂર પડતી હતી. બીજા બે વ્યક્તિઓ જાપાનના સમ્રાટ અને મહારાણી છે આ સમયે જાપાનના સમ્રાટ નારૂહિતો છે અને તેમના પત્ની મસાકો ઓવાદૃા જાપાનના રાણી છે. સમ્રાટ અને રાણી માટે પાસપોર્ટ વગર વિદૃેશ જવાની વ્યવસ્થા ૧૯૭૧થી શરૂ થઈ હતી. જાપાન દૃુનિયાના બધા દૃેશોને એક સત્તાવાર પત્ર આ વિશે મોકલે છે કે સમ્રાટ અને રાણીને તેમના દૃેશમાં જવા માટે આ પત્રને તેમનો પાસપોર્ટ માની લેવામાં આવે.