શનિવારે અમરેલીનું દત્ત મંદિર એકસો વર્ષ પુરા કરશે

અમરેલી, અમરેલીમાં શ્રી દત્ત મંદિરને સો વર્ષ પુરા થવા જઇ રહયા છે ત્યારે આગામી 28-5-20 ના રોજ સતાબ્દી ઉત્સવ ઉજવવા આયોજન થયુ છે તે નિમિતે શ્રી ગુરૂ લીલામૃત પારાયણ કથા શ્રી દત્તયાગ યજ્ઞ સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે
અમરેલીમાં શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) ની હયાતી દરમિયાન 1920 માં દત્ત મંદિરની સ્થાપના થયેલી તે પહેલા એટલે કે 17 થી 18 વર્ષ પહેલા સને 1902-03 માં અમરેલીમાં એક સાધ્ાુ પુરૂષે આવી વસવાટ કરેલો અને પોતે આ ગામમાં શ્રી ગુરૂદેવ દતાત્રેય મંદિર બનાવવા માંગે છે તે માટે તમેણે ચિતલ રોડની પુર્વ દિશામાં જગ્યા પસંદ કરી હતી તે જગ્યા પર ધ્ાુણી જગાવી મુકામ કર્યો હતો તે સાધ્ાુ એટલે કે વાસુદેવ ચૈતન્ય બ્રહ્મચારી મહારાજે 1915માં મંદિર માટે 18 વીઘા જમીન વેચાણથી લીધી હતી આ જગ્યામાં ગાયો પાળી ગૌશાળા શરૂ કરેલી અને તેઓ પાળેલ ગાયોના દુધનો ઉપયોગ સાંજના સમયે નિર્દોષ બાળકોને પીવડાવવામાં કરતા હતા આ સાધ્ાુને તે વખતના વડોદરા રાજ્યના સુબા (કલેકટરશ્રી) સંપતરાય ગાયકવાડએ મદદ કરવા નક્કી કર્યુ અને આ મદદ શ્રીમત સયાજીરાવ ગાયકવાડના સુચનાથી થયાનું મનાય છે સાધ્ાુ પુરૂષની ઇચ્છા મુજબ હાલ જ્યાં મંદિર નિર્માણ થયેલ છે ત્યાં મંદિર બાંધવા ઇચ્છા પ્રગટ કરેલી અને દત્ત ભગવાનની મુર્તિ જયપુરથી આરસની રૂા. 150ના સ્વખર્ચે લાવ્યા હતા 1915માં તા.13-8-15 ના રોજ મંદિરના પ્રથમ ભાગના બાંધકામ માટે ખાતમુર્હુત શ્રી સંપરાવ ગાયકવાડના હસ્તે થયુ હતુ અને મંદિરના બાંધકામ પુજારીની રહેવાની જગ્યા, સાધ્ાુ સંતો માટે રહેવાની જગ્યા અને ગૌશાળા બાંધવા રૂા. 5 હજાર એકત્ર કરવા જનતા સમક્ષ ટહેલ નાખી હતી અને મંદિરનું બાંધકામ 1920 માં પુર્ણ થયુ હતુ અને પ્રાણ પ્રતિષ્ઠા તા.23-5-1920 ના રોજ થઇ હતી આમ મંદિરનો વહીવટ દત મંદિર ટ્રસ્ટ અમરેલી દ્વારા થાય છે જેનું રજીસ્ટ્રેશન ગાયકવાડ રાજ્યમાં 1920માં કરવામાં આવેલ અને 1953માં ચેરીટી કમિશ્નરમાં રજીસ્ટર્ડ થયુ હતુ ભવ્ય અને શ્રધ્ધાવાન તથા પુરાતન ઇતિહાસ ધરાવતા અમરેલીના દત મંદિરને સો વર્ષ પુરા થતાં તા.28-5-20 ના રોજ સતાબ્દી ઉત્સવ ઉજવાશે જેમાં શ્રી ગુરૂ લીલામૃત પાયારણ (કથા) તા.23-5-20 શનિવારના શરૂ થશે અને તા.29-5-20 ના રોજ સાંજના વિરામ થશે દરરોજ બપોરના 4 થી 7:30 કથા રસપાન શ્રી અવધ્ાુત પરિવારના જાણીતા કથાકાર શાસ્ત્રી શ્રી વિરંચીપ્રસાદ (તિલકવાડા) કરાવશે શ્રી દત યાગ યજ્ઞ તા.26-5-20 થી 28-5-20 સુધી સવારના 8 થી 1 સુધી યોજાશે દત મંદિર પરિષર ખાતે દત યજ્ઞમાં ભાવિકો શ્રી દત માલામંત્રથી યજ્ઞને આહુતિ આપશે અને યજ્ઞથી શ્રી દતાત્રેયની મુર્તિની પુન: પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે તેમ દત મંદિર ટ્રસ્ટ અમરેલી દ્વારા જણાવાયુ છે.