તા. ૨૮.૧.૨૦૨૩ શનિવાર, સંવંત ૨૦૭૯ મહા સુદ સાતમ, અશ્વિની નક્ષત્ર, સાધ્ય યોગ,વિષ્ટિ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.
વૃષભ (બ,વ,ઉ) : મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.
કર્ક (ડ,હ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ,પ્રગતિ થાય.
સિંહ (મ,ટ) : તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,દિવસ એકંદરે સારો રહે.
તુલા (ર,ત) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
વૃશ્ચિક (ન,ય) : મનમાં દ્વિધા રહ્યા કરે,ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): વિવાlહયોગ્ય મિત્રો માટે શુભ સમય,સારી વાત આવી શકે છે.
મકર (ખ,જ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): સામાજિક કૌટુંબિક કાર્ય થાય,પરિવાર સાથે આનંદ માણી શકો.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
અગાઉ લખ્યા મુજબ પાકિસ્તાનની હાલત વધુને વધુ ખરાબ થતી જાય છે અને તેની મુદ્રા દિનબદિન નીચે પડી રહી છે બીજી તરફ હાલમાં રશિયા જે હાલતમાં છે તે હાલતમાં ધીમે ધીમે ચીન આવતું જાય છે જે વિષે હું અત્રે લખી ચુક્યો છું તો બુધ મહારાજ ધનમાં એકલા પડતા જ શેરબજારમાં કડાકો થવા પામ્યો છે વળી નવા નિયમ અમલી બન્યા છે. આજરોજ ૨૮.૧.૨૦૨૩ ને શનિવાર છે જે મિત્રો શનિવારે જન્મેલા હોય તે ઉદ્યમી હોય છે અને તેમના જીવનમાં ભાગ્યોદય પણ ઉદ્યમથી જ થતો હોય છે શનિવારે જન્મેલા જે મિત્રો આળસ કરતા હોય તેમને શનિદેવ પૂર્ણ ભાગ્યોદય નથી આપતા શનિવારે જન્મેલા લોકો ચમક દમક પસંદ નથી કરતા અને સત્યની નજીક રે છે વળી ન્યાયપ્રિય હોય છે અને કોઈ પણ પરિણામ મહેનતથી મેળવવાનું પસંદ કરતા હોય છે જે મિત્રો શનિવારે જન્મેલા હોય તેઓ હનુમાનજી મંદિર માં સેવા કરે તો વિશેષ લાભ પ્રાપ્ત થતો હોય છે આવા લોકો એકાંતપ્રિય જોવા મળે છે અને શાંતિ થી પોતાનું કાર્ય કરવામાં માને છે. શનિ પ્રધાન લોકો અદાલતો માં લેબર માં અને કન્સ્ટ્રક્સન લાઈનમાં તથા કાળી વસ્તુઓ સાથે વધુ લેણદેણ ધરાવે છે.