સાવરકુંડલાના મહુવા રોડ રેલ્વે ફાટકે ઓવરબ્રિજ બનશે

સાવરકુંડલા,

સાવરકુંડલા મહુવા રોડ ઉપર આવેલ રેલવે ફાટક પસાર થતા રેલવે માર્ગ પર ચાલતા ટ્રેન વ્યવહારથી વારંવાર ફાટક બંધ થતાં વાહન ચાલકો અને આમ જનતા વારંવાર ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવા પડતો તે પ્રશ્નનો કાયમી ઉકેલ આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા સાવરકુંડલા શહેરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સાવરકુંડલા મહુવા હાઈવે પર આવેલ રેલવે ફાટક નંબર 67/મ્1 ઓવરબ્રિજ માટે ધારાસભ્યશ્રી દ્વારા તા.11/04/2023 નાં પત્ર થી સરકારશ્રીમાં કરાયેલ રજૂઆત મુજબ ગુજરાત સરકાર દ્વારા લોકોની જન સુખાકારી અને વિકાસલક્ષી કાર્ય માટે હાઈવે પરથી પસાર થતાં વાહનો કાયમી માટે હવે ટ્રાફિકથી સંપૂર્ણપણે મુક્તિ મળશે. સાથે નાગરિકો અને વાહનચાલકોને તેમનો સમય પેટ્રોલ ડીઝલમાં પણ બચત થશે.આ ઓવરબ્રિજ બનાવવા