સિંહ આવી ચડતા પશુપાલકોમાં વ્યાપેલો ફફડાટ
વિજપડી,
સાવરકુંડલાના વિજપડીમાં આવી ચડેલા સિંહે ખુટીયાનું મારણ કરતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. ખેડૂતો ને વાડી માં હજુ 100%વિજ પુરવઠો તંત્ર દ્વારા વાવાઝોડા ને બે માસ થયા તો પણ શરૂ થયેલ નથી બીજી બાજુ જંગલી જાનવરો એ બેમાસ પુર્વે વિજપડી માં એક ગરીબ આધેડ ઉપર દિપડા એ હુમલો કરેલ અને એ આધેડ ખેડૂત નુ આ હુમલા થી મૃત્યુ પામેલ છે.ત્યારે આજે ફરી સિંહ વિજપડી ગામે ગામના જાપા માં મોક્ષ ધામ પાસે એક ખુટયા નું મારણ કરેલ છે ગત રાત્રીના આ બનાવ થી ખેડૂતો ને વાડી માં રહેવું મજુરોને રાખવા જોખમી બન્યા છે.અને ખેડૂતો ને ખેતી કામ કરવા મા જોખમ લાગી રહ્યુ છે માટે વન તંત્ર એ અગાઉ વિજપડી ગામે થી દીપડા ને પાંજરે પુરવા મા આવેલ હતો ત્યારે હવે સિંહે દેખા દિધેલ છે માટે યોગ્ય કરવા તમામ ખેડુતો ની માંગ છે