સોમનાથ મંદીરમાં પત્રકારોને પરિસરમાં પ્રવેશ પ્રતિબંધ મુકાતા અમરેલીમાં પત્રકારોએ કલેકટરને આવેદન આપ્યું

અમરેલી, હિન્દુ ધર્મનું આસ્થા નું કેન્દ્ર અને શ્રાવણ માસનો મહિમા જેનો અપરંપાર છે એવા દેવાથી દેવ મહાદેવ સોમનાથ મંદિરના આવતા જતા યાત્રાઓ આગેવાનો ના મીડિયા કવરેજ માટે જે ગાઈડલાઈન મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી હતી તેનો સુમેળથી અમલ વર્ષોથી થઈ રહ્યો છે શ્રદ્ધાળુઓની ગિરદીને ધ્યાને લઇ મંદિરમાં કોઈ મીડિયા મિત્રો કવરેજ માટે જતા નથી ગુજરાતના તમામ પત્રકારો નો વિરોધ છે આજે સોમનાથ મંદિર સામે જિલ્લાના પત્રકારો કાળી પટ્ટી ધારણ કરી ધરણા ઉપર છે, પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં આવેદન આપવામાં આવ્યું છે ત્યારે અમરેલીમાં પત્રકાર એકતા પરિષદ દ્વારા અમરેલી જિલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા કલેકટરને આવેદન આપી ને જિલ્લાના પત્રકારોની લાગણીને માંગણી સરકાર સમક્ષ રજુ કરી હતા.