૨૦૧૦ બાદ નેપાળમાં ૧૧ પ્લેન ક્રેશ થયા, જાણો કેમ નેપાળમાં કેમ થાય છે વારંવાર પ્લેન ક્રેશ?!..

નેપાળના પોખરા એરપોર્ટ પર લેન્ડ કરવાની ૧૦ સેકન્ડ પહેલાં યેતી એરલાઈન્સનું એક વિમાન દૃુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં ૫ ભારતીયો સહિત ૭૨ લોકો સવાર હતા. છેલ્લા ૩૦ વર્ષમાં હિમાલયી દૃેશોમાં આ સૌથી ઘાતક દૃુર્ઘટના છે. આ દૃુર્ઘટનામાં ૬૦ લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. અધિકારીઓએ આપેલ જાણકારી અનુસાર, આ વિમાન દૃુર્ઘટનામાં કોઈપણ યાત્રીની બચવાની આશા ન બરાબર છે. નેપાળમાં દર વર્ષે લગભગ સરેરાશ એક વિમાન દૃુર્ઘટના થાય છે. વર્ષ ૨૦૧૦ બાદથી નેપાળમાં ૧૧ વિમાન દૃુર્ઘટનાઓ સર્જાઈ છે. આ વર્ષે યેતી એરલાઈન્સનું પ્લેન ક્રેશ થયું છે. તે પહેલા નેપાળના મસ્તંગ જિલ્લામાં ગયા વર્ષે ૨૯ મેના રોજ તારા એરલાઈનું એક વિમાન દૃુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દૃુર્ઘટનામાં તમામ ૨૨ લોકોનું મૃત્યુ થયું હતું. નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણ દ્વારા આ વિમાન દૃુર્ઘટના અંગે જાણકારી આપવામાં આવી છે. પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર, યેતી એરલાઈન્સના છ્ઇ-૭૨ વિમાને કાઠમંડૂના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે ૧૦.૩૩ વાગ્યે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યા બાદૃ આ વિમાન પોખરામાં જુના અને નવા એરપોર્ટ વચ્ચે આવેલ સેતી નદૃીની ખાઈમાં દૃુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં ૧૪ વિદૃેશી નાગરિક અને ૪ ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૭૨ લોકો સવાર હતા. સોશિયલ મીડિયા પર આ વિમાનના ૨ વિડીયો વાયરલ થઈ રહૃાા છે. એક વિડીયોમાં જોવા મળી રહૃાું છે કે, આ વિમાન દૃુર્ઘટનાગ્રસ્ત થયું તેની ગણતરીની સેકન્ડો પહેલા વિમાન હવામાં ફંગોળાઈ રહૃાું હતું. વિમાનના એક યાત્રીએ બીજો વિડીયો ફોનમાં રેકોર્ડ કર્યો હતો. ફોનમાં રેકોર્ડ કરેલ વિડીયોમાં જોવા મળી રહૃાું છે કે, યાત્રી ફોનમાંથી વાદળો બતાવી રહૃાો છે. તે સમયે અચાનક જ આગની જ્વાળાઓ દૃેખાવા લાગે છે અને અંધારું છવાઈ જાય છે. જ્યાં અનેક ઊંચી ચોટીઓની વચ્ચે સંકરી ઘાટીઓ છે, જ્યાંથી વિમાન વાળવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે. નેપાળ હિમાલયની ગોદમાં આવેલો એક સુંદર, રમણીય અને પ્રાકૃતિક સુંદરતા ધરાવતો નાનકડો દૃેશ છે. આ દૃેશની ટોપોગ્રાફી, લો વિઝિબિલિટી અને વારંવાર બદલાતા વાતાવરણને કારણે વિમાન ઉડાડવા માટેના સૌથી કઠિન વિસ્તારમાંથી એક છે. આ દૃેશમાં અનેક હાર્ડ-ટૂ-એક્સેસ એયર સ્ટ્રિપ્સ રહેલા છે, જે પહાડોને કાપીને બનાવવામાં આવ્યા છે. આ પ્રકારના એર સ્ટ્રિપ્સ પર રનવે નાના હોય છે અને જોઈએ તેટલી જગ્યા હોતી નથી. બ્લૂમર્ગના એક રિપોર્ટ અનુસાર લુકલાના પૂર્વોત્તરમાં આવેલ તેનિંજગ-હિલેરી એરપોર્ટ દૃુનિયાના સૌથી જોખમી એરપોર્ટમાંથી એક છે. જ્યાં માત્ર એક રનવે છે, જેનો ઢાળ ઘાટીની તરફ આવેલો છે. નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણે વર્ષ ૨૦૧૯માં એક વાયુ સુરક્ષા રિપોર્ટ જાહેર કર્યો હતો. આ સુરક્ષા રિપોર્ટ અનુસાર વેધર પેટર્નનની વિવિધતા અને હોસ્ટાઈલ ટોપોગ્રાફી એ નેપાળમાં વિમાન સંચાલન માટે સૌથી મોટો પડકાર છે. જેના કારણે મોટી સંખ્યામાં નાના વિમાન સાથે સંબંધિત વિમાન દૃુર્ઘટના સર્જાઈ રહી છે. નેપાળ એક પહાડી દૃેશ હોવાને કારણે વારંવાર વાતાવરણ બદલાતું રહે છે. ઘણીવાર આકાશ એકદમ ચોખ્ખુ દૃેખાય છે, તો અચાનક જ ધુમ્મસ છવાઈ જાય છે. આ કારણોસર વિમાનના પાયલોટ માટે આ એક મોટો પડકાર બની જાય છે. આ પરિસ્થિતિમાં પાયલટે ઉંચાઈ પર આવેલ એર સ્ટ્રિપ્સ પર સેફ લેન્ડિંગ કરવાનું રહે છે. ધુમ્મસના કારણે એર સ્ટ્રિપ્સ દૃેખાતું નથી, આ કારણોસર આ પ્રકારની દૃુર્ઘટનાઓ સર્જાય છે. અધિકારીઓ જણાવે છે કે, આ વિમાન દૃુર્ઘટના ખરાબ વાતાવરણને કારણે નથી સર્જાઈ. દૃુર્ઘટના સમયે આકાશ એકદમ ચોખ્ખુ હતું. લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ હ્લઙ્મૈખ્તરંઇટ્ઠઙ્ઘટ્ઠિ૨૪ એ એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે કે, યેતી એરલાઈન્સનું વિમાન ૧૫ વર્ષ જૂનું હતું, જેમાં જૂનું ટ્રાંસપોંડર હતું. નેપાળમાં મોટાભાગની વિમાન દૃુર્ઘટના સુરક્ષા સંબંધિત પરિબળોને કારણે થાય છે. એક રિપોર્ટ અનુસાર નેપાળની એરલાઈન્સ કંપનીઓ નવા વિમાન ખરીદતી નથી, પરંતુ અન્ય દૃેશોની એરલાઈન્સ પાસેથી સસ્તા ભાવે જૂના વિમાન ખરીદૃે છે. ત્યારબાદ તે વિમાનની સર્વિસ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. યોગ્ય ટેકનોલોજી ન હોવાને કારણે આ પ્રકારની દૃુર્ઘટના થાય છે. આ જૂના વિમાનોમાં આધુનિક ટેકનિકયુક્ત વેધર રડાર પણ નથી. આ કારણોસર પાયલટને વાતાવરણની યોગ્ય જાણકારી મળતી નથી.