તા. ૨૪.૭.૨૦૨૨ રવિવાર, સંવંત ૨૦૭૮ આષાઢ વદ અગિયારસ, કામિકા એકાદશી, રોહિણી નક્ષત્ર, વૃદ્ધિ યોગ, કૌલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો.
વૃષભ (બ,વ,ઉ) : તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.
મિથુન (ક,છ,ઘ) : ખર્ચ પર અંકુશ રાખવો,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.
કર્ક (ડ,હ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.
સિંહ (મ,ટ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
મકર (ખ ,જ ) : વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
આજરોજ ૨૪ જુલાઈને રવિવાર, કામિકા એકાદશી છે. શાસ્ત્રોમાં કામિકા એકાદશીનું ખુબ જ મહત્વ છે. આ એકાદશી વ્રત વ્યક્તિની મનોકામના પૂર્ણ કરે છે અને તેને તમામ પાપોથી મુક્તિ આપે છે. જે ભક્તો આ એકાદશી પર ભગવાન વિષ્ણુને આદર અને ભક્તિ સાથે તુલસીના પાન અર્પણ કરે છે, તેઓ તમામ પાપોથી દૂર રહે છે. આ સિવાય ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે જે શ્રદ્ધાળુઓ કામિકા એકાદશી ઉપવાસના દિવસે આદર સાથે નારાયણની પૂજા કરે છે, તેને તમામ પવિત્ર નદીમાં સ્નાન કાર્યનું ફળ મળે છે. મનોકામના પૂર્ણ કરવામાં કામિકા એકાદશીનું વ્રત શ્રેષ્ઠ છે.આ દિવસે વ્રત કરીને આપણે આપણી મનોકામના બાબતે સંકલ્પ લઈએ તો એ સંકલ્પ પૂર્ણ થતા જોવા મળે છે. તા. ૨૯ જુલાઈથી પવિત્ર શ્રાવણ માસ શરુ થઇ રહ્યો છે આ માસમાં શિવજી અને કૃષ્ણ પરમાત્માની વિશેષ પૂજાનું વિધાન છે. શ્રાવણ માસ શરુ થવા સાથે જ સાત્વિક ગ્રહ ગુરુ મહારાજ વક્રી થવા જઈ રહ્યા છે વળી શ્રાવણ માસની અમાવસ્યા શનિવારે છે માટે શનિ અમાવાસ્યા બને છે જે વિશેષ સંયોગ સાધના માટે ઘણો શુભ છે. સાત્વિક ગ્રહ ગુરુ મહારાજ શ્રાવણ માસ સાથે જ વક્રી થાય છે જે ઘણું સૂચક છે.