ભારતે મંગળવારે પાકિસ્તાનના પેશાવર શહેરમાં થયેલા આતંકવાદ હુમલાની સખત િંનદૃા કરી હતી અને પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદૃના વ્યક્ત કરી હતી. સોમવારે થયેલા આ હુમલામાં ૯૩ લોકો માર્યા ગયા હતા અને ૨૦૦થી વધુ ઘાયલ થયા હતા. વિદૃેશ મંત્રાલયના પ્રવક્તા અિંરદૃમ બાગચીએ કહૃાું કે, ભારત હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. બાગચીએ એક ટ્વીટમાં કહૃાું કે, ’ભારત પેશાવરમાં ગઈકાલે થયેલા આતંકવદૃી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. અમે આ હુમલાની સખત િંનદૃા કરીએ છીએ જેમાં ઘણા લોકોના જીવ ગયા છે’ પેશાવરની એક મસ્જિદૃમાં બપોરે નમાજ દૃરમિયાન આત્મઘાતી બોમ્બરે પોતાની જાતને ઉડાવી દૃીધી હતી. તે સમયે મસ્જિદ નમાઝ અદૃા કરતા લોકોથી ભરેલી હતી. પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એ હુમલાની જવાબદૃારી લીધી છે. સ્થાનિક સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં કુલ ૯૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે ૨૨૧ લોકો ઘાયલ થયા હતા. પોલીસ લાઇન મસ્જિદૃમાં થયેલા આતંકવાદૃી હુમલામાં મોટાભાગના પોલીસ કર્મચારીઓ માર્યા ગયા છે અને ઘાયલ થયા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તે સમયે લગભગ ૩૦૦-૪૦૦ પોલીસ કર્મચારીઓ મસ્જિદૃમાં હાજર હશે. તે જ સમયે, પોલીસનું માનવું છે કે આ હુમલા માટે ૧૦-૧૫ કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હશે. પોલીસ તપાસ કરી રહી છે કે, આટલા મોટા જથ્થામાં વિસ્ફોટકો સાથે આતંકવાદૃીઓ પોલીસ લાઇનની અંદૃર કેવી રીતે પહોંચ્યા?