રાજુલા-જાફરાબાદમાં પાણીનો દેકારો : 10 દિ’થી વિતરણ બંધ

રાજુલા,

રાજુલા શહેરમાં છેલ્લા દસેક દિવસથી પાણી આવતું નથી રાજુલા શહેર અને જાફરાબાદ ને ધાતરવડી ડેમ એકનું પાણી જે રાજુલાને મળતું હતું જે પાણી માંડ માંડ ઘુઘરીયાળી વિસ્તાર સુધી આવે છે ત્યાંથી સંપમા આવતું હોય છે તે આવતું નથી પાણી સાવ ધીમું આવે છે મોટાભાગની પાઇપો તૂટી ગઈ છે જે પાઇપો બદલવામાં આવતી નથી અને શહેરમાં પણ રસ્તાઓ અને રોડ બનતા મોટાભાગની પાઇપો પાણી છોડે એટલે પાણી રસ્તા ઉપર રેલમછેલ થઈ જાય છે અને લોકો પાણી વગરના ફાફા દિવસે મારે છે આ અંગે ચેમ્બર ઓફ કોમસના પ્રમુખ ગૌરાંગભાઈ મહેતાએ જણાવ્યું કે છેલ્લા દસ દિવસથી પાણી ખૂબ જ અનિમિત છે પૂરતા પ્રમાણમાં જેટલું જોઈએ તેટલું શહેરમાં ડેમોમાં પાણી હોવા છતાં મળતું નથી ગામની મધ્યમાં આવેલી જગ્યા કેસરીનંદન હનુમાન તો 12 દિવસથી પાણી આવ્યું નથી અને રાજુલા શહેરમાં તો એક માસથી આઠ દિવસે પાણી આવે છે તે પણ રાત્રે જ આપે છે નગરપાલિકામાં પણ હવે પાણીની ફરિયાદ પણ કોઈ સાંભળતું નથી આ અંગે અવારનવાર મહિલાઓ પણ પાણી માટે નગરપાલિકામાં જાય છે પરંતુ કોઈ પાણીનો પ્રશ્ર્ન હલ થતો નથી. આ અંગે નાયબ કાર્યપાલક પાણી પુરવઠા અધિકારી પીએમ મોદીએ ટેલિફોનિક પૂછપરછમા જણાવેલ છે કે મહીનું પાણી જે મળવું જોઈએ તે રાજુલા જાફરાબાદ ને પૂરતા પ્રમાણમાં મળતું નથી અને ભાવનગર પાસે બુધેલ માંં ઈલેક્ટ્રીક ફોલ્ટ ના કારણે અવારનવાર પંપીંગ બંધ થઈ જાય છે અને રાજુલા જાફરાબાદ અને 121 ગામડાને જેટલું પાણી જોવે છે તેટલું મળતું નથી અને હવે અમે રાજુલામાં રાત્રિના જ પાણી આપીએ છીએ કારણ કે દિવસે છોડવાથી ગામડામાં પાણી જુદી પાઇપો હોવાથી મળતું નથી અને પાણી વેડફાઈ જાય છે એટલે રાજુલા અને જાફરાબાદ ચાર પાંચ દિવસે પાણી આપવામાં આવે છે કેમ ખૂબ નાયક કાર્યપાલક મોદીએ જણાવ્યું હતુએક નગરપાલિકાના સદસ્યએ નામ ન લીધા વિના કહ્યું છે કે મુખ્યપાઇપો માંથી હોલ પાડીને ડાયરેક્ટ પાણી લીધા છે જે થતું જોતી વિસ્તાર અને ડુંગરા વિસ્તારમાં ડાયરેક્ટ પાણી લીધેલ હોવાથી શહેરમાં જ્યારે પાણી આપવામાં આવે તે છે અત્યારે સાવ ધીમી ગતિએ મળે છે ત્યારે આવા ગેરકાયદેસર કનેક્શન ડાયરેક લીધેલ છે તે નગરપાલિકાએ કે વહીવટદારે આની ટીમ બનાવી આવા કનેક્શન કપાવવામાં આવે તો શહેરને પૂરતું પાણી મળે તેમ મોટાભાગના આગેવાનો કહી રહ્યા છે નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને ખેડૂત આગેવાન દીપુભાઇ ધાખડાએ જણાવ્યું કે ધાતરડી નંબર બે ને દર વર્ષે પાણી છોડી દેવામાં આવતું હોવાથી ડેમ ખાલી થઈ જાય છે હાલ પણ પાણી છોડી દીધેલું છે જેને કારણે ડેમમાં થોડુંક જ પાણી છે જેથી રાજુલા શહેરના હાલ ડાર બોરિંગ કે ડંકી છે તેમાં પણ પાણી ઊંડા ચાલ્યા ગયા હોવાથી મોટાભાગના લોકો દાર ડંકી હોવા છતાં પણ છતાં પાણી ખૂબ જ હેરાન થાય છે ત્યારે સીંચાઈ ખાતાએ ખાખબાઈ ડેમ નંબર બે ને પાણી છોડી દેવું જોઈએ નહીં. નહિતર રાજુલાના તળ ખૂબ જ ઊંડા ચાલ્યા જાય છે જેથી સીચાઈ ખાતાએ નંબર 2 નું પાણી નદીમાં છોડી દેશે તે છોડવું ન જોઈએ તેમ દીપુભાઈ ધાખડા એ જણાવ્યું હતું આ પ્રશ્ર્ને પૂર્વ નગરપાલિકાના પ્રમુખ અને ભાજપના આગેવાન એવા રવુભાઇ ખુમાણે જણાવ્યું કે લોકોની પાણીની ફરિયાદ અનેક આવે છે અને શહેરમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી જે પ્રાથમિક દ્રષ્ટિએ પાઇપો તૂટી ગઈ છે મહી નદીનું પાણી ઉપરથી અવારનવાર બંધ થઈ જાય છે હાલ પણ બે દિવસથી બંધ છે તે તમામ વસ્તુ ધ્યાનમાં લઇ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તાજેતરમાં જ 15 કરોડ રૂપિયા પાણી માટેની ગ્રાન્ટ મંજૂર કરાવી છે તે માટે ભાજપ તરફથી તાત્કાલિક આ ગ્રાન્ટ પાણીની પાઇપો ક્યાં તૂટેલી છે ત્યાં સંપ મુકવાનો છે અને પાણીની મુશ્કેલી દૂર થાય જલ્દી તેવા પ્રયત્ન હીરાભાઈ સોલંકી અને સ્થાનિક ભાજપ તરફથી પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે આમ હાલ તો રાજુલામાં પાણીની ભયંકર પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે ચીફ ઓફિસર અને વહીવટદાર મામલતદાર તાત્કાલિક ધોરણે પાઇપો તૂટી હોય ત્યાં રીપેરીંગ કરાવે તેમજ જ્યાં ડાયરેક પાઇપો લીધી હોય ત્યાં તપાસ કરાવે તેમજ ધાતરવડી ઘુઘરીયાળી થી રાજુલા પાણીના ટાંકા સુધી પાણી કેમ આવતું નથી તે તપાસ કરવા રાજુલા શહેરીજનોની માંગણી છે અત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોને પાણી મળતું જ નથી માંડ માંડ 10 દિવસે મળે છે તેનું મુખ્ય કારણ ગામડાને જે પાણી આવે છે તે બુધેલથી આવતું હોવાથી તે અવારનવાર બંધ થતું હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણીની ભયંકર તંગી હોવાનું તાલુકા પંચાયતના સદસ્ય અનિરુદ્ધભાઈ વાળા તથા તથા કરસનભાઈ વગેરે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને ગ્રામ્ય વિસ્તારમાં પાણી તાત્કાલિક મહિ પાઇપલાઇન આધારિત છે તેવા ગામડાઓમાં તાત્કાલિક પાણી શરૂ કરાવે તેવી માંગણી રાજુલા જાફરાબાદના 121 ગામડામાં વ્યવસ્થા કરાવે અને પાણી પુરવઠા ની ઓફિસ એક જાફરાબાદ અથવા ખાંભામાં માં સ્વતંત્ર ફાળવે કારણ કે હાલ ત્રણ તાલુકા વચ્ચે એક જ ઓફિસ હોય જેથી ફરિયાદો પણ ખૂબ જ આવતી હોવાથી નિકાલ થતો નથી તેવી રજૂઆત સરપંચો દ્વારા પણ ચોમાસુ હોવા છતાં તળાવ ભરાયા નથી જેથી અત્યારે થી જ ગામડામાં પાણીની તંગી ઊભી થઈ છે તે તાત્કાલિક હલ કરાવે અને રાજુલા જાફરાબાદ ને હાલ આઠ દી એ પાણી મળે છે તે ત્રણ દિવસ મળે તેવી વ્યવસ્થા કરાવવા માંગણી ઉઠી છે