- કોરોના વાયરસના નામે લૂંટ થઈ રહી છે
- એમ્બ્યુલન્સવાળા યુરોપની લાઈટ જેટલો ચાર્જ લે છે
કોરોના મહામારીના કપરા સમયમાં એવી ફરિયાદો મળી રહી છે કે કોરોનાના દર્દીઓ માટે એમ્બુયલન્સની સુવિધા માટે તેમણે યુરોપના દૃેશોમમાં ૧૦થી ૧૫ કિમીની હવાઈયાત્રા જેટલો જ ચાર્જ ચૂકવવો પડી રહૃાો છે.
જોકે, પંજાબ અને મહારાષ્ટ્ર સિવાયના કેટલાક રાજ્યોએ એમ્બ્યુલન્સ ચાર્જ અંગે કેટલાક પગલા લીધા છે. પરંતુ જે રાજ્યોમાં એમ્બ્યુલન્સના ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે ત્યાં પણ કેટલીક વખત વધારે ચાર્જ વસૂલ કરવાના કેસ સામે આવ્યા છે.
મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ લોકો પાસેથી ૧૦-૧૫ કિમી દૃૂર જવા માટે પણ એમ્બ્યુલન્સવાળા ૩૦ હજાર રૂપિયા વસૂલ કરી રહૃાા છે. જૂનના છેલ્લા અઠવાડિયામાં પુણેમાં કોરોનાના દર્દી પાસેથી સાત કિમી જવા માટે આઠ હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. કર્ણાટકના બેંગલુરુના રહેવાસીએ જણાવ્યું છે કે, તેમણે તેમની ૫૪ વર્ષની માતાને ૬ કિમી દૃૂર ખાનગી હોસ્પિટલ સુધી લઈ જવા માટે ૧૫ હજાર રૂપિયા ચૂકવવા પડ્યા છે. કોલકાતામાં ખાનગી એમ્બ્યુલન્સ લગભગ પાંચ કિમી માટે કોરોનાના દર્દી પાસેથી ૬થી૮ હજારનો ચાર્જ વસૂલ કરી રહી છે. આ ઉપરાંત કેટલીક ખાનગી એમ્બ્યુલન્સ સેનિટાઈઝર અને ડ્રાઈવર તેમજ હેલ્પરની પીપીઈ કિટ માચે ૩ હજાર વધારાના વસૂલી રહી છે.