મેષ (અ,લ,ઈ) : જમીન મકાન વિગેરે સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) : આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.
કર્ક (ડ,હ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા રહે,સાંજ ખુશનુમા વીતે.
કન્યા (પ ,ઠ ,ણ) : આવક કરતા જાવક વધી ના જાય તે જોવું,હિસાબ રાખવો.
તુલા (ર,ત) તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
ધન (ધ,ભ,ફ,ઢ ): સાંજ પછી નસીબ સાથ આપતું જણાય,મતભેદ દૂર કરી શકો.
મકર (ખ,જ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
કુંભ (ગ ,સ,શ) :હિત શત્રુઓ થી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
મીન (દ,ચ,ઝ,થ): પ્રણય માર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.
ઘણા સમય પહેલા જ અત્રે લખ્યા મુજબ ભારત-પાકિસ્તાનથી લઈને અમેરિકા સુધી વિવિધ આંદોલનો ચાલી રહ્યા છે અને આતંકી ઘટનાઓ પણ બની રહી છે. ગોચર ગ્રહો ઘણી બધી અનિશ્ચિતતા પણ ઉભી કરી રહ્યા છે. ધીમે ધીમે તહેવારો નજીક આવી રહ્યા છે, તો આગામી રવિવારે 8 નવેમ્બરના રોજ સવારે રવિપુષ્યામૃત યોગ બની રહ્યો છે. રવિવારે સૂર્યોદયથી 8.45 સુધી રવિપુષ્યામૃત યોગ રહેશે. આ યોગ ઘણો જ શુભ ગણાય છે તથા આ યોગમાં શુભ વસ્તુઓની ખરીદી કરી શકાય છે શુભ કાર્યનો આરંભ કરી શકાય છે અને ખાસ તો સાત્વિક પૂજા વિધિ અને પાઠ આ યોગમાં કરવામાં આવે તો તેનું સારું પરિણામ મેળવી શકાય છે. આ યોગમાં સાધના કરવાથી ચંદ્ર અને સૂર્ય બંને બળવાન બને છે જેથી મન પર કાબુ આવે છે અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. આ યોગમાં કોઈ પણ શુભ શરૂઆત કે સંકલ્પ કરી શકાય છે. જીવનમાં પરિવર્તન લાવવા માટે રવિપુષ્યામૃત યોગ ખુબ અસરકારક બનતો જોવા મળે છે.