નવીદિૃલ્હી,તા.૦૩
દૃેશની અગ્રણી ફાર્મા કંપની સનફાર્મા પર સાઈબર એટેકના સમાચાર સામે આવ્યા છે. સનફાર્મા કંપનીના દૃેશભરના પ્લાન્ટ પર કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. જોકે, કંપનીનું કહેવુ છે કે, સાઈબર એટેકને પગલે કંપનીની કોર સિસ્ટમની કામગીરી પર કોઈ અસર પડી નથી. મંગળવારે કંપનીના કર્મચારીઓ ઓફિસ આવે તે પહેલા જ તેમના એકાઉન્ટમાં લોગ ઈન થઈ શક્યુ ન હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, સનફાર્મા કંપનીના વડોદૃરા, મુંબઈ, હાલોલ સહિત દૃેશભરના પ્લાન્ટ પર કામગીરી થઈ ગઈ હતી. કંપની પર સાઈબર એટેક થયો હોવાનું જાણ થતા જ કંપનીનો આઈટી વિભાગ એક્ટિવ થઈ ગયો હતો. મંગળવારે સવારે કંપનીના કર્મચારીઓ ઓફિસ પર આવ્યા ત્યારે તેમને કમ્પ્યૂટર પર લોગ-ઈન કરવાની પરમિશન મળી ન હતી, તેથી કર્મચારીઓએ આઈટી વિભાગને જાણ કરી હતી. જેના બાદૃથી કંપની પર સાઈબર એટેક થયાની વાત સામે આવી હતી. સાઈબર એટેક બાદૃ કંપનીના કમ્પ્યૂટર ઠપ્પ થઈ ગયા હતા. એટલુ જ નહિ, કંપની દ્વારા આદૃેશ કરાયો હતો કે, ઓનલાઈન ડેટા એનાલિસિસ અને કમ્પ્યૂટરનો ઉપયોગ થતો હોય તેવા તમામ મશીન બંધ રાખવામાં આવે. આ કારણે કંપનીની કામગીરી પર અસર પડી હતી. કંપની સન ફાર્મા કંપનીના સત્તાવાર અધિકારીએ પણ સાઇબર એટેક થયાની વાત કબૂલી હતી. તેઓએ જણાવ્યું કે કંપનીના કોર સિસ્ટમ અને ઓપરેશન્સને કોઇ અસર થઇ નથી. જોકે આઇટીનાં સાધનોને અમે આઇસોલેટ કરી દૃીધાં છે અને કંપનીએ તપાસ શરૂ કરી દૃીધી છે. સાઈબર એટેકને પગલે કંપનીના અનેક મશીનરી બંધ થઈ ગયા હતા. તેમજ રિસર્ચ ડેટા એનાલિસિસને પણ મોટી અસર પડી હતી. કંપનીના સંશોધનના ડેટા બહુ જ જરૂરી હોય છે. આવામાં સાઈબર એટેકથી તે ચોરી થવાની શક્યતા વધુ હોય છે.