કુંડલાનાં મેરીયાણામાં વિજટીસીમાંથી તણખા ઉડતા આગ

સાવરકુંડલા,
સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામે પરસોત્તમભાઈ મધુભાઈ ખાતરણીની વાડીએ પીજીવીસીએલના ટીસીમાં થયેલ ભડાકા ના કારણે આજુબાજુમાં તીખારા ઉડતા ખેતર માલિક પરસોત્તમભાઈ ને એક ભેંસ તેમજ પાડી તેમજ પોતાનું બળદ ગાડું તેમજ મોટરસાયકલ તેમજ ઘરવખરી નો સામાન પાણીની પાઇપલાઇન તેમજ તેમજ પશુ માટે રાખેલ ચારો.. ઘઉં તેમજ ચણા સંપૂર્ણ નષ્ટ થયેલ છે આશરે અઢીથી ત્રણ લાખની નુકસાની ભોગવવાનો વારો ખેડૂતનો આવેલ છે જ્યારે પીજીવીસીએલની કામગીરી ઉપર સબનસીબે માનવ જાતને નુકસાન નથી થયેલ પરંતુ મૂંગા જાનવર નું મોત થયેલ છે તાત્કાલિક અસરથી સર્વે કરી ખેડૂતને યોગ્ય ન્યાય મળે તેવી માંગ ઉઠવા પામેલ છે બનાવવાની જાણ થતાં મેરીયાણા ગામના સરપંચ ઘટના સ્થળે દોડી પી જીવીસીએલ ના અધિકારીઓને જાણ કરવામાં આવેલ છે તેમજ સ્થાનિક ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ને પણ આ બાબતે જાણ કરવામાં આવેલ