કોઇ મુદો ન હોવાથી મોદીકા પરિવારનો મુદો આવ્યો

અમરેલી,
કેન્દ્રમાં છેલ્લા 10 વર્ષથી ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર છે અને નરેન્દ્ર મોદીની સરકાર તમામ મોરચે નિષ્ફળ નિવડી છે, ત્યારે 2024 ની લોકસભાની ચૂંટણી લડવા માટે ભાજપ પક્ષ કે નરેન્દ્ર મોદી પાસે કોઈ મુદ્દો ન હોવાથી “મોદી કા પરિવાર” લઈને ભારત દેશની જનતાને ભ્રમિત કરવા માટે ભાજપ પક્ષ અને નરેન્દ્ર મોદી ઉભા રોડે ચડ્યા છે, આજે સમગ્ર ભારત દેશના લોકો નરેન્દ્ર મોદીના 10 વર્ષના શાસનકાળ દરમિયાન પાયમલ અને કંગાળ બની ગયા છે, દેશનો શિક્ષિત યુવાન સરકારી નોકરી માટે દરદર ભટકી રહ્યો છે અને પકોડા વેચવા માટે મજબૂર બની છે, ભારત દેશમાં ગરીબ દિન પ્રતિદિન ગરીબ બનતો જાય છે અને ગરીબ લોકોને પોતાના ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે, દેશના ગરીબ લોકોને રોજી રોટી અને રોજગાર આપવાના બદલે મહિને પ કિલો મફતમાં અનાજ આપીને જીવન જીવવા માટે નરેન્દ્ર મોદીએ મજબૂર બનાવી દીધા છે, આજે સમગ્ર ભારત 140 કરોડની જનતાનું પેટ ભરવાનું કામ કરતા જગતના તાત એવા ખેડૂતોની આવક ડબલ કરવાના બદલે ખર્ચા ડબલ કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે, આજે ખેડૂતોને ખેતી કરવા માટે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, ખેડ , મોંઘાદાટ થયા છે જેની સામે ખેડૂતોને પોતાના પાકનો પોષણક્ષમ ભાવ મળતો નથી પરિણામે ખેડૂતો દેવાના તળે ડૂબી રહ્યા છે, ભાજપમાં અને નરેન્દ્ર મોદીની સાથે છે તો શું આ છે નરેન્દ્ર મોદી નો પરિવાર ? તેવો વેધક સવાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કર્યો