50થી વધ્ાુ ચોરી કરનાર ગેંગ પકડતી અમરેલી એલસીબી

અમરેલી,
નરેન્દ્રસિંહ બહાદુરસિંહ પરમાર, ઉ.વ.40, રહે.રાજુલા, સ્વામિનારાયણ નગર, છતડીયા રોડ, તા.રાજુલા, જિ.અમરેલી વાળા ગઇ તા.02/03/2024 નાં રોજ પોતાના પરીવાર સાથે ધારી મુકામે પોતાનું રહેણાંક મકાન બંધ કરી ગયેલ હોય, તે દરમિયાન રાત્રીના અજાણ્યા ચોર ઇસમોએ રહેણાંક મકાનમાં ગે.કા. પ્રવેશ કરી, રૂમનું તાળુ તોડી, કબાટમાં રાખેલ રોકડા રૂ.8,000/- તથા સોના ચાંદીના દાગીના કુલ કિ.રૂ.3,57,000/- મળી કુલ કિ.રૂ.3,65,000/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય, જે અંગે નરેન્દ્રસિંહએ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ આપતા રાજુલા પો.સ્ટે.મુજબનો ગુન્હો રજી. થયેલ તેમજ ભાવનગર જિલ્લાના મહુવા પો.સ્ટે.માં બીજા જ દિવસે સરખા એમ.ઓ.થી ઘરફોડ ચોરી થયેલ હોય, જે ચોરીમાં સોના દાગીના આશરે 20 તોલાથી વધુની ચોરી થયેલ હોય જે અંગે મહુવા પો.સ્ટે. (ભાવનગર)મુજબ નો ગુનો રજી. થયેલ.ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમારે ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપવામાં આવેલ.જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા ઉપરોકત ઘરફોડ ચોરીના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવેલ. તેમજબનાવના સ્થળની આજુબાજુના સી.સી.ટી.વી. ચેક કરવામાં આવેલ, જેમાં રાજુલામાંથી મળી આવેલ સી.સી.ટી.વી. કુટેજોમાં શંકાસ્પદ ઇસમો મળી આવેલ હોય, આ ઇસમો મહુવા થયેલ ઘરફોડ ચોરીના સી.સી.ટી.વી. કુટેજમાં પણ દેખાતા, જે શંકાસ્પદ ઇસમો એક જ હોવાનું જણાય આવતા, જે શંકમદ આરોપીઓની સઘન તપાસ દરમિયાન બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે દાહોદ જિલ્લા ખાતે આરોપીઓની તપાસ દરમિયાન શકદાર ઇસમોને હસ્તગત કરી, સઘન પુછ પરછ કરતા ઉપરોકત ઘરફોડ ચોરી ચોરીની કબુલાત આપતા સંડોવાયેલ તમામ આરોપીઓને પકડી પાડી, ઉપરોકત ઘરફોડ ચોરીમાં ગયેલ સોનાના દાગીના પૈકીનો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે.દાહોદ જિલ્લાના ચાર આરોપીઓ (1) પંકેશ ઉર્ફે પકો ઉર્ફે પંકજ ઉર્ફે પ્રકાશ લાલાભાઇ ભાભોર,(2) નગરસિંહ ઉર્ફે નગરો ગુંડીયાભાઇ મીનામા, (3) સંજય ઉર્ફે દાસ નરસીંગ મછાર,(4) દિલીપભાઇ મણીલાલ સોનીને ઝડપી પાડયા હતાં.(1) પકડાયેલ આરોપીઓ પૈકી પંકેશ તથા નગરસિંહ તથા સંજય ત્રણેય ગઇ તા.02/03/2024 નાં રોજ રાજુલા ખાતે આવેલ અને રાત્રીના રાજુલમાં એક બંધ મકાનની દિવાલ કુદી અંદર પ્રવેશ કરી, મકાનનાહોલના દરવાજાના તાળા તોડી, મકાનના રૂમમાં રાખેલ કબાટનું લોકર તોડી, રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી, મહુવા જતા રહેલ હોવાની હકિકત જણાવેલ હોય, જે અંગે ખરાઇ કરતા રાજુલા પો.સ્ટે. મુજબ ગુનો રજી. થયલ છે.(2) બાદ પકડાયેલ આરોપીઓ પૈકી પંકેશ તથા નગરસિંહ તથા સંજય ત્રણેય રાજુલા ચોરી કરી મહુવા જતા રહેલઅને ગઇ તા.03/03/2024 ની રાત્રીના મહુવા એક સોસાયટીમાં બંધ મકાનમાં પ્રવેશ કરી, રૂમનાતાળા તોડી સોના ચાંદીના દાગીના ચોરી કરી, દાહોદ જતા રહેલ હોવાની હકિકત જણાવેલ હોય, જે અંગે ખરાઇ કરતા મહુવા પો.સ્ટે. (ભાવનગર) મુજબ ગુનો રજી. થયેલ