મર્ડર કેસમાં રાજુ શેખવાના કાયમી જામીન મંજુર કરતી સુપ્રિમ કોર્ટ

અમરેલી,
અમદાવાદનાં ચર્ચાસ્પદ સુરેશ શાહ મર્ડર કેસમાં અમરેલીનાં રાજુ શેખવાને સપ્રિમ કોર્ટમાંથી કાયમી જામીન આપવામાં આવ્યાં છે. આ બનાવની વિગત એવા પ્રકારની છે કે, અમદાવાદ વાસણા વિસ્તારમાં શંકરના મંદિરમાં સરાજાહેર અંઘાઘુંધ ફાયરીંગ કરીએફ.સી.આઈ.ના ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર સુરેશ શાહની ઘાતકી હત્યાના મુખ્ય સુત્રધાર તેમજ અન્ય પાંચ પાંચ હત્યાઓના જેના ઉપર આરોપ છે તેવા ગુજરાતના ગેંગસ્ટર રાજુ શેખવાની સંડોવણી બહાર આવતાની સાથે જ સુરેન્દ્રનગરની બાજુના ફાર્મહાઉસ ઉપરથી અમદાવાદ કાઈમ બ્રાન્ચ ના જાંબાજ અધિકારીઓ દ્રારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને આ મર્ડરનો પ્લાન અમરેલી જેલમાંથી કરવામાં આવ્યો હતો. ગુજરાતની અન્ય જેલોમાં પણ રાજુ શેખવા મોટુ નેટવર્ક ધરાવે છે.જે તે સમયે બહાર આવેલી વિગતો અનુસાર સુરેશ શાહ પણ મોટો ગેંગસ્ટાર હોવાથી અમદાવાદના ખાડીયા વિસ્તારમાં પ્રદિપ ડોન અતે ગૌતમ દાઢીની તેમના દ્વારા જ હત્યા કરાવી નાખવામાં આવી હતી.રાજુ શેખવા અને સુરેશ શાહ ની ધંધાકીય હરીફાઈ માં 2005માં સુરેશ શાહનું રાજકાટ થી અપહરણ કરવામાં આવ્યુ હતુ ત્યાર બાદ 2009માં અમદાવાદ પાલડી ખાતે જુની અદાવત થી રાજુ શેખવા ઉપર શાર્પ શુટર્સ દ્વારા કરાવી ખુની હુમલો કરાવવામાં આવેલ પણ રાજુ શેખવાને હોસ્પીટલમાં સમયસર સારવાર મળી જતા આબાદ બચાવ થઈ ગયો હતો. પોતાની ઉપર થયેલા જીવલેણ હુમલાનો બદલો લેવા રાજુ શેખવાએ સુરેશ શાહને મારી નાખવા માટે રૂા.50 લાખની સોપારી આપી હતી. માર્ચ 2018માં સુરેશ શાહની કરપીણ ઘાતકી હત્યા કરાવી નાખી હતી. આ કેસમાં રાજુ શેખવાના નામદાર સુપ્રીમ દ્વારા કાયમી જામીન મંજુર કરવામાં આવેલ છે. તેમના એડવોકેટ તરીકે ભારતના માજી.સોલીટર જનરલ મુકુલ રોહતકી તેમજ ઉત્પલ દવે રોકાયા હતા.રાજુ શેખવા ગુજરાતમાં અપહરણ,ધમકી ,હથીયાર,મારામારી,ફાઈરીંગ,મર્ડર, એસીબી માં અપ્રમાણસર મીલ્કત જેવા અનેક ગંભીર પ્રકારના ગુન્હા ઓ કરી ચુકેલ છે.તેણે સાવરકુંડલા નગરપાલીકા ના ચેરમેન જોરાવરસીહ ચૌહાણની હત્યા, ગાંધીનગર એફ.સી.આઈ. મેનેજર બાબુલાલ જાદવની હત્યા તેમજ સુરતના એક ઉધોગપતીના પૂત્રની હત્યા માં પણ તેનુ નામ ખુલ્યુ હતુ. તેમજ અમદાવાદના ગેંગસ્ટર સુરેશ શાહ ની ઘાતકી હત્યા પણ રાજુ શેખવાના ઈશારે જ કરવામાં આવી હતી.ગોંડલના બે ઉધોગપતીનું અપહરણ રાજુ શેખવાએ કરેલુ અને આ અપહરણ વખતે ગોંડલનાં મોટુ માથુ ગણાતા કદાવાર નેતા વચ્ચે પડતાની સાથે જ મામલો થાળે પડી ગયો હતો.રાજુ શેખવા ગોંડલ જેલમાંથી બહાર આવતાની સાથે જ તેમના દુશ્મનો ભુર્ગભમાં ઉતરી ગયા છે. માસ્ટર માઈન્ડ રાજુ શેખવા તેમના દુશ્મનો ને ઠંડે કલેજે નીકાલ કરવામાં ખુબ જ માહીર છે. આ પ્રકરણમાં હજુ પણ નવાજુની થશે તેવી લોકમુખે ચર્ચા થાય છે.રાજુ શેખવા અને તેના પરિવારજનો ઉપર અપ્રમાણીત મીલ્ક્ત અંગે એ.સી.બી. ની ફરીયાદ પણ ગુજરાત ના લાંચ રૂશ્વત વિરોધી ખાતાના વડા કેશવકુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી હતી.તેમા અમરેલીના જાંબાજ એસપી નિર્લિપ્ત રાય દ્વારા ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર અને મઘ્યપ્રદેશ ના ભોપાલ ખાતે પોલીસની અલગ અલગ ટીમો મોકલી રાજુ શેખવાની કરોડોની મિલકત સીઝ કરવામાં આવી હતી. આ સમયે રાજુ શેખવાએ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આશરો મેળવી તેમના સગા-સબંધી અને તેની ધરપકડ ન થાય તે માટે આગોતરા જામીન મેળવી લીધા હતા. ગુજરાત ના ઉચ્ચ અધિકારી અને રાજકીય વ્યકિતઓ સાથે અંગત ધરાબા ધરાવતો રાજુ શેખવાગમેતેવા ગંભીર ગુન્હામાંથી કોઇને કોઇ રીતે જેલમાંથી બહાર નીકળી જાય