દિલ્હી કેપિટલ્સનાં હેડ કોચ રિકી પોન્ટિંગ માને છે કે વિકેટકીપર, બેટ્સમેન ઋષભ પંત ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ-૨૦૨૧)માં ટીમનું નેતૃત્વ કરવાની વધારાની જવાબદારી નિભાવશે. કેપ્ટન શ્રેયસ અય્યરની ઈજાને કારણે પંતને આગામી આઇપીએલ માટે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
પોન્ટિંગે કહૃાું, “મને લાગે છે કે તે વધારાની જવાબદારીનો સંપૂર્ણ આનંદ લેશે. તે એવો વ્યક્તિ છે જે જવાબદારીને પસંદ કરે છે, જે નેતૃત્વ કરવાનું પસંદ કરે છે. તેથી તે જવાબદારી કેવી રીતે નિભાવે છે તે જોવા માટે હું ખરેખર ઉત્સુક છું. ’’
તેમણે કહૃાું, “અમે તેને મદદ કરીશું, પરંતુ મને નથી લાગતું કે હવે તેને વધુ મદદની જરૂર પડશે.”
ભૂતપૂર્વ ઓસી. કેપ્ટને કહૃાું, નવનિયુક્ત કપ્તાનને મદદ કરવી તે કોિંચગ સ્ટાફ અને વરિષ્ઠ ખેલાડીઓના કાર્યનો ભાગ હશે. તેમણે કહૃાું, “મને લાગે છે કે જો આપણે પ્રથમ મેચ પહેલા ઋષભ સાથે તેની કેપ્ટનશીપ વિશે વાત કરી શકીએ છીએ, તો પછી ટુર્નામેન્ટ શરૂ થાય ત્યારે આપણે તેની િંચતા કરવાની જરૂર નથી. જ્યારે ટુર્નામેન્ટ શરૂ થાય, ત્યારે તમે સૂચનોથી કપ્તાન પર બોજો લાદવા માગતા નથી.